SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ પરમ પૂજ્ય તત્વઅભીલાસી સદ્ગુરુ રાઈચંદભાઈ વી. રવજીભાઈ 200g) (વવાણિયાનિવાસી રાયચંદભાઈ રવજીભાઈને કૃપાળુ દેવ પ્રત્યે લખેલા પત્ર) લિ. આપને સેવક રાઈચંદ મનજીના પ્રણામ વાંચજો. જત ઈશ્વરની કીરપાથી સુખ વરતી છે. આપની સુખ વરતીના કાગલ આજ ને આવાં, તે વાંચીને જીવને આનંદ. ઉપજે છે, ને ગઈ કાલે ખાઈ ઝવલ ખુશીથી ઘેર આવી છે. ને આજ દને ખાઈ જીજીબાઈ ઘેર ખુશીથી આવા છે, ને આપના પીતાશ્રીજી શ્રી મોરબી છે તે દન ર થી ૩ માં ઘેર આવશે, ને માતુશ્રીજી ખુશી મઝામાં છે. તે તમારા કાગલ વંચાવવા ગએલ. તે કાગલ વાંચીને તમારી માતુશ્રીજીને જીવને આનંદ થયા છે ને તમારા કાગલ ન આવવાથી તમારી માતુશ્રીજી દલગીર થઈ ગયા, માટે હવે કોગલ અઠવાડીએ અઠવાડીએ મહેરબાની કરી લખવે. કાગલ આવેથી તમારી માતુશ્રીજીને જીવને સુખ થાય ને સદગુરુ રાઈચંદભાઈ, છમસરી પડીકમણ કરતી વખતે આપને ખમાવા છી ને તમે પણ ખમાવારસો ને સદગુરુ રાઈચંદભાઈ, આપના દરસન કરવાની ઈસા ઘણી જ છે, પણ કરમની અંતરાઈના જેગથી દરસનનો લાભ થાતો નથી. પણ સદગુરુ રાયચંદભાઈ, નજીકના પધારવાનું થાય તો કુરપા કરી ખબર લખશે. પણ આપે સાસ્તર વાંચવાનો પરીચય કરો તેવું લખું, પણ સદગુરુ રાઈચંદભાઈ, ચોપડી વાંચતાં અરથની ખૂબી ન આવતા ત્યાં સુધી જીવને ઠીક પડે નહી, પણ હમેશ સદગુરુના વચન સાંભળવામાં આવે તો જીવને બંધ ઘણે આવે. પણ જીવને અંતરાઈના જેગથી સદગુરુનાં વચન કીયાથી સાંભળવામાં આવે. પણ સદગુરુ રાઈચંદભાઈ, ગીતાનો બાધ હમેશ કાગલમાં લખતા રહેશે, ને જુના કરમના સી રીતે ખે થાય, ને નવા કરમનો ખે થાય તે બેધને વીસ્તાર કુરપા કરી આપના
SR No.009258
Book TitleShrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Original Sutra AuthorN/A
AuthorNarottamdas Chunilal Kapadia
PublisherPrafullbhai Bhagwanlal Modi and Others
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy