________________
અંતિમ પ્રશસ્તિ धन्यास्त एव भूवनाधिप ये त्रिसंध्यमाराधयन्ति विधिवद् विधृतान्यकृत्याः । भक्त्योल्लसत पुलकपक्ष्मल देहदेशाः
पादद्वयं तव विभो भुवि जन्मभाजः ।। ભાવાર્થ : - “હે વિભો ! હે ત્રણ ભુવનના સ્વામિ ! ભક્તિ વડે વિકસિત થયેલાં રોમાંચથી જેનાં શરીર શોભી રહ્યાં છે, જેઓએ અન્ય સવ કાર્યો તજીને એક તમારે વિષે જ મન લીન કર્યું છે અને જેઓ વિધિપૂર્વક ત્રિકાળ તમારા ચરણનું પૂજન, સ્તવન, કીર્તન કરે છે તે જ મનુષ્યો, ખરેખર, આ પૃથ્વી ઉપર ધન્ય છે.”
–શ્રી કલ્યાણમંદિર સ્તોત્ર.
અનેક જન્મોની આરાધના અને તપોબળ હોય ત્યારે જ જીવને પરમાર્થ સંસ્કારને વારસે બાલ્યવયથી મળે છે. એવા કઈ તપોબળે પૂ. બહેનશ્રીને મહતું પુણ્યોગ સાંપડયો: પરમાત્મસ્વરૂપ પુરુષ પિતા તરીકે મળ્યા અને તેઓશ્રીને એ ઓળખી શકયાં. તેમનામાં ભગવાનપણાની પ્રતીતિ થવી અને તે પ્રેમભક્તિભાવ નિરંતર ટકી રહે એ ખરેખર પુણ્યાગ છે.
જે સાક્ષાત વિદેહી જીવનમુક્ત દશાએ વિચરે છે તે પરમપુરુષની કૃતિ એવી કોઈ વિલક્ષણ અને અસામાન્ય હોય છે કે સામાન્ય મનુષ્યને—બાહ્યદૃષ્ટિ જીવને-તે સમજાતી નથી. બહારથી સામાન્ય આકારમાં જણાતી તેમની ચર્યા હોવા છતાં તેના ગર્ભમાં (મૂળમાં) પરમાર્થ રહેલો હોય છે. અને તે પરિણામે કલ્યાણમય જ નીવડે છે. એવું જ કૃપાળુ દેવશ્રીના સંબંધમાં બન્યું છે.
પાછળ જણાવ્યા મુજબ ધરમપુરથી નીકળતાં પરમકૃપાળુ દેવે ભગવાનલાલભાઈના હાથમાં રૂપિયા મૂક્યો હતો.
રહેલે હોરી ચયા હોવાના બહા