________________
૨૧૦ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
wwww કરી, તે ચૈતન્યાત્મક સ્વભાવ આત્માનિરંતર વેદક સ્વભાવવાળા હોવાથી અબંધ દશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાતા-અશાતારૂપ અનુભવ વેદ્યા વિના રહેવાનો નથી એમ નિશ્ચય કરી જે શુભાશુભ પરિણામધારાની પરિણતિ વડે તે શાતા-અશાતાનો સંબંધ કરે છે, તે ધારા પ્રત્યે ઉદાસીન થઈ દેહાદિથી ભિન્ન અને સ્વરૂપમર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પરિણામધારા છે તેનો આત્યંતિક વિચાગ કરવાના સમાગ ગ્રહણ કરી, પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કમાગથી સકલક પરિણામ દર્શાવે છે તેથી ઉપરામ થઈ, જેમ ઉપરામતિ થવાય, તે ઉપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચલ થવાય, તે જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિત્વના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવાયોગ્ય છે. મહાત્માઓની વારંવાર એ જ શિક્ષા છે.
તે સન્માગને ગવેષતા, પ્રતીત કરવા ઇચ્છતા, તેને સંપ્રાપ્ત કરવા ઇચ્છતા એવા આત્માથીજનને પરમ વીતરાગસ્વરૂપ દેવ, સ્વરૂપનેષ્ઠિક નિસ્પૃહ નિગ્રંથરૂપ ગુરુ, પરમદયાળુ (પરમદયા યુક્ત) ધર્મ વ્યવહાર અને પરમ શાંત રસ રહસ્ય વાક્યમય સશાસ્ત્ર, સમાગની સંપૂર્ણતા થતાં સુધી પરમભક્તિ વડે ઉપાસવા ચોગ્ય છે, જે આત્માના કલ્યાણનાં પરમકારણો છે.
અત્ર એક સ્મરણ સંપ્રાપ્ત થયેલી ગાથા લખી અહી આ પત્રમાં સંક્ષેપીએ છીએ.
भीसण नरयईए, तिरियगईए कुदेवमणुयगईए;
पत्तोसि तिव्व दु:खं, भावहि जिणभावणा जीव. ભયંકર નરકગતિમાં, તિર્યંચગતિમાં અને માઠી દેવ તથા મનુષ્યગતિમાં હે જીવ ! તું તીવ્ર દુઃખને પામ્યા, માટે હવે તો જિનભાવના (જિન ભગવાન જે પરમશાંત રસે પરિણમી સ્વરૂપસ્થ થયા તે પરમ શાંત સ્વરૂપ ચિતવવાના) ભાવ ચિંતવ (કે જેથી તેવાં અનંત દુઃખાને આત્યંતિક વિગ થઈ પરમ અવ્યાબાધ સુખસંપત્તિ સં'પ્રાપ્ત થાય. ) શાંતિઃ શાંતિઃ શાંતિઃ