________________
૮૩૩
વવાણિયા, જ્યેષ્ઠ સુદ ૧, શનિ, સં. ૧૯૫૪ સર્વ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સવ કાળથી અને સર્વ ભાવથી જે સવ પ્રકારે અપ્રતિબંધ થઈ નિજસ્વરૂપમાં સ્થિત થયા તે પરમ પુરુષોને નમસ્કાર, ' જેને કાંઈ પ્રિય નથી, અપ્રિય નથી, જેને કેઈ શત્રુ નથી, જેને કોઈ મિત્ર નથી, જેને માન-અપમાન, લાભ-અલાભ, હર્ષશોક જન્મ-મૃત્યુ આદિ કંઠનો અભાવ થઈ જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને વિષે સ્થિતિ પામ્યા છે અને પામશે તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદાશ્ચર્યમાં ઊપજે છે. (ઉપજાવે છે.)
દેહ પ્રત્યે જે વસ્ત્રનો સંબંધ છે, તેવો આત્મા પ્રત્યે જેણે દેહનો સંબંધ યથા તથા દીઠે છે, મ્યાન પ્રત્યે તલવારને જે સંબંધ છે તે દેહ પ્રત્યે જેણે આત્માને સંબંધ દીઠા છે, અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુવ્યો છે, તે તે મહાપુરુષોને જીવન અને મરણ બંને સમાન છે.
જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધચિતિ સ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઈ અચિંત્ય કરે છે, તે અચિંત્ય દ્રવ્યુ સહજ સ્વાભાવિક નિજ સ્વરૂપ છે. એવો નિશ્ચય જે પરમ કૃપાળુ સત્પરુષે પ્રકાશ્યા તેને અપાર ઉપકાર છે. | ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત શ્વેત થઈ જાય છે, પણ કંઈ ચંદ્ર ભૂમિરૂપ કેઈ કાળે તેમનો થતો નથી, એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એ આ આત્મા તે કયારેય પણ વિશ્વરૂપ થતો નથી, સદા સર્વદા ચૈતન્યસ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ આત્મભેદતા માને એ જ ભ્રાંતિ છે.
જેમ આકાશમાં વિશ્વને પ્રવેશ નથી, સર્વ–ભાવની વાસનાથી આકાશ રહિત જ છે, તેમ સમ્યદૃષ્ટિ પુરુષોએ પ્રત્યક્ષ સર્વ દ્રવ્યથી ભિન્ન સવ અન્ય પર્યાયથી રહિત જ આમાં દીઠો છે.