________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૯૧
નીકળી ગઈ છે. તો હવે વખતોવખત બોધ આપવાના પત્રો આપ આપની ઈચ્છા પ્રમાણે લખી અને માટી પાયરીએ ચડાવશે. એ જ વિનંતી.
આપનો મારાથી અવિનય અભક્તિ થઈ હોય તે ક્ષમા માગું છું. આપસાહેબ કૃપાળુ મેટા છે, તો જેવા આપ છો એવી સેવક ઉપર નજર રાખશો.
ખંભાતથી અંબાલાલભાઈને મોકલવા કૃપા કરશે. પાંચ દિવસને સમાગમ થાશે. વળી ‘ આત્મસિદ્ધિ’ ગ્રંથના અર્થ, ટીકા તથા કોઈ અર્થ નહીં સમજાતા હોય તો અંબાલાલભાઈ સમજાવશે. માટે જો આપની ઈચ્છા હોય તો મોકલાવશે એ જ અરજ. - સં'. ૧૯૫૩ના જેઠ સુદ ચૌદશ રવિવાર બાલક મણિ તથા બાલક ઝૂંબક તથા લેરાભાઈ તથા મગન તથા ચબુબા તથા કાળુભાઈની માતાજી તથા મણિની માં તથા લાલચંદ તથા કેશવલાલ તથા બાલક નગીન તથા ઉજમબા વગેરેના નમસ્કાર વાંચશોજી. એ જ લિ. લેરાના નિરંતર પ્રણામ હો. | વિ. લ. એ છે જે આ જીવ સમે સમે પર પરિણતીમાં મરી, ગયા હતા તો આપસાહેબના ઉપદેશથી કાંઈક એધાર થી છે વળી આપની કૃપા વડે કરી વિશેષતા એધાર થશે એમ ઇચ્છું છું, જે આપનું પત્ત પહોંચ્યું છે. વાંચી બીના જાણી છે. મુ. શ્રી સોભાગભાઈ કહે છે કે કાગળ વાંચી મશ્કરી કંઈ કરશો નહીં', ભાસ થવાથી આપને લખેલ છે.
દા. ત્રંબકનાં પગેલાગણુ વાંચશો.