________________
મમમમમમમમમમમમમમમમમમમમમ
- પરમક્ષાળુ દેવ ઉપર સૌભાગ્યભાઈના, અન્યના પત્રો
તથા પરમકૃપાળુ દેવના થોડા જવાબો
૧૯૫૧ ના ચૈત્ર સુદ ૬ સોમવાર - તે પૂર્ણાનંદી મહાત્માને ત્રિકાળ નમસ્કાર હે હરિ ! હરિ ! શું કરું ? દીનાનાથ દયાળ, હું તો દોષ અનંતનુ ભાજન છું' કરુણાળ; શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ,
નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ ? હે પ્રભુ ! તુમ તે અપાર, 'અપાર, અપાર છે. રાજચન્દ્રજી, તુમને વંદન વિનય સહિત.
છોરુની વિનંતી કે અ૯પજ્ઞ પામર, અનાથ, બાળકનાં વંદન પુનઃ પુનઃ સ્વીકારશોજી. હે પ્રભુ ! આપને પત્ર એક આવ્યા તે વાંચી અત્યંત આનંદ તમારા કિંકર-દાસને થયો છે. વળી એ જ રીતે આ બાળક ઉપર કૃપાદૃષ્ટિ કરી આ અ૯પજ્ઞ પામરને ભાન કરાવશે. હે પ્રભુ ! આપનાં અમૃતવચનાનું પાન કરતાં આ અતૃપ્ત આત્મા ધરાતા નથી. હે ભગવાન ! આ પત્ર વાંચી દાસની અરજી ધ્યાનમાં લેશો, જેથી આ છોરુ અજ્ઞાન, બંધન અને મિથ્યા ભ્રાંતિથી મુક્ત થાય. સંસાર અશરણ છે. સર્વ પ્રકારે તે સંસારની આસ્થા તજીને નિર્ભય થાય તે પ્રકાર, હે પ્રભુ, આપ જ બતાવે છે. આવુ જ આ કિંકર ઉપર કરુણા આણીને આત્મસ્વભાવને પમાડશે તથા સર્વ પ્રકારે આ સેવકની હમેશાં હોંશ પૂરી કરશે.