________________
સદ્ગત રણછોડભાઈ ધારસીભાઈનો પરમકૃપાળુ દેવ સાથેનો પરિચય
શ્રી સહજાત્મ સ્વરૂપાય નમ: [ પરમકૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્ર ભગવાન સાથે મારો સમાગમ ].
મારા જન્મ સૌરાષ્ટ્રમાં થયો હતો. હું સાધારણ વણિક કુટુંઅમાં જન્મી દુનિયાદારીની જુદીજુદી સ્થિતિમાંથી પસાર થયેલા છું'. ન્યાયનીતિમાં અગ્રસ્થાન ભોગવતા કાઠિયાવાડના એક રાજ્યની હું જ્યારે નોકરી કરતા હતા, ત્યારે પરમકૃપાળુ દેવલિખિત મોક્ષમાળા સંવત ૧૯૪૬માં મેં મંગાવી. તે વખતે તે પુસ્તકનું ફક્ત નામ વાંચીને જ મંગાવેલુ, પણ વાંચતાં તેમાં અદ્દભુત ભાવ અનુભવ્યો અને તેથી તેના લખનારપુરુષ પ્રત્યે બહુ જ ઊંચે આદર જાગૃત થયા. હું પોતે તો સ્થાનકવાસી જૈન હોવાથી જ્યારે કેાઈ જૈન ધર્મ વિષે પૂછતું ત્યારે આ પુસ્તકની હકીકત ૨જૂ કરતે.
જે કે મને રસાયણવિજ્ઞાન, શરીરવિજ્ઞાન અને પદાર્થવિજ્ઞાન વગેરેનું સામાન્ય જ્ઞાન હતું અને કુદરતના નિયમ સમજવા મને હમેશા બહુ ઉત્ક'ઠા રહેતી, પણ ‘તત્ત્વાતત્ત્વ” કે જૈન ધર્મની દૃષ્ટિ વિષે કઈ જાતની માહિતી કે વિવેકજ્ઞાન નહોતું.
પરમકૃપાળુ દેવ સાથે મારા પ્રથમ મેળાપ સં'. ૧૯૪૯માં મુંબઈમાં થયા. તે વખતે મારા સ્વચ્છેદને લઈને પરમકૃપાળુશ્રીને આ ચાગ યથાર્થ પરિણામી ન નીવડયો. ત્યાર બાદ સં'. ૧૯૫૫ના આસો માસમાં તેઓશ્રી સાથે મુંબઈમાં પંદરવીસ દિવસ રહેવાનું
શ્રી. ૯