________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૧૯
જેની મૂળ જીવનભૂમિ ઉત્તમ હોય છે અને તેની સાથે જેનું જીવન સંસારપ્રપંચમાં રગદોળાયું નથી એવા મનુષ્યોને બીજે કાંઈ પણ ખોટું કરે એમ જણાય ત્યારે તેનું હૃદય અતિશય અળવા લાગે છે, તેને થરથરાટી ઊપજે છે. ભાઈ છગનલાલના સંબંધમાં પણ આમ જ બનતું. તેના પરિચયમાં આવનાર કોઈ ને પણ વિષે તે સહેજ પણ દેષ જોતો કે તેના પ્રત્યે તે દૃષ્ટિ કરવાની પણ ઈરછા ન કરતો. કેટલીક વખત તો તે એવાની સાથે મેટા ઝઘડા કરી તેની સાથે સંબંધ જ ન રાખવાની પ્રતિજ્ઞા કરતો. શુદ્ધ હૃદયવાળા તરુણે તો સરળ હોય છે. કેટલીક વખત એવું પણ બનતું કે પોતાને બીજાનાં કૃત્યોમાં ખટાપણું લાગ્યું હાય અને તેથી તે જીવ પ્રત્યે પોતે સત્યને ખાતર આવેશ કર્યો હાય, પણ ખરેખર તેનાં કૃત્યમાં કાંઈ ખોટું ન હતું. માત્ર પોતાની સમજમાં જ ફેર હતો એવું જ્યારે છગનલાલને જણાતું ત્યારે પિતાને થયેલા આવેશ માટે તે પશ્ચાત્તાપ કરતો અને માફી માગતો. પિતાને થયેલા આવેશને પોતે ક્રોધ સમજી તેના આવિર્ભાવ ફરી ન થાય તેવી દૃઢ ઇચ્છા કેળવતો. માગશર સુદ ૫ ને શનિવારની નિત્યનોંધમાં તેના નીચેના ઉદ્દગારો છે તે ઉપરથી ક્રોધાદિ કષાય શાંત કરવાની તેની જાગૃતિ વ્યક્ત થાય છે :
ક્રોધાદિ ચેડાડા પાતળા પડયા પછી સહજરૂપ રાખવા; અને વિચારમાં વખત કાઢો. કોઈના પ્રસંગથી કેધાદિ ઊપજવાનું નિમિત્ત થાય તો તેને ગણકારવું નહીં'. કેમકે પોતે ક્રોધ કરીએ તા થાય. જ્યારે પોતાના પ્રત્યે કેાઈક્રોધ કરે ત્યારે વિચાર કરવા કે બિચારાને હાલ તે પ્રકૃતિનો ઉદય છે. તો એની મેળે ઘડીએ બે ઘડીએ શાંત પડી જશે; માટે જેમ બને તેમ અંતર-વિચાર કરી પોતે રિથર રહેવું. ક્રોધાદિ કષાયને હમેશાં વિચારી વિચારી માળા પાડવા. બાહ્ય પ્રસંગો બને તેમ ઓછો કરવા.”
આ વચનામાં છગનલાલે પોતાના પિતા શ્રીમદ્ રાજચંદ્રનું અનુકરણ કર્યું છે; તે એના હદયના પરિચાયક છે, તેના ધાર્મિક અનુજ છે.
ભાઈ છગનલાલનું આરોગ્ય ૧૯૯૪ના ફાગણ માસમાં બગડયું;