________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૦૫
wwwwwwww
wwwwwwwww
વાસની સ્મૃતિ મ’ગલમય, શુભ ચિંતનમાં જોડનાર, ધમ ધ્યાનમાં પ્રેરનાર, પરમકૃપાળુ પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા-ભક્તિમાં વૃદ્ધિ કરનાર થયાં, નાસ્તિકને આસ્તિક બનાવનાર થયાં. સ્વજને સૌને પવિત્ર સધમ માના ઉપદેષ્ટા શ્રીમદ્ ભગવાનમાં ઉત્તમ પ્રતીતિ ઉપજાવનાર, ધારણ કરાવનાર થયાં. એને દિવ્ય મૂક સંદેશ સૌને પ્રભુપંથે વાળવા, તેમાં સ્થિર થવા, તે અર્થે કાર્ય કરવામાં, વવાણિયા તીર્થ ભૂમિની સંભાળ લેવામાં, ‘ શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન’ની ઉજ્જવળતા અને ઉત્ક સાધવામાં, એક કર્તવ્યપાઠ શીખવનાર થયા.
:
એ વખતના એ દિવ્ય સ્વર્ગવાસ વેળાના એના સર્વ સંચાગે કેવા પવિત્ર બન્યા હતા ! એની સ ચર્યા, એના વચનનું પ્રકાશવું, એની ધૈય શક્તિ, એની મક્કમતા, સુદૃઢતા અને એના અંતરપરિણામ—એ સઘળુ કેવું અપૂર્વ હતુ...! માટુ—માટું ભાગ્ય ! એ જ ઉક્તિ ખસ થાએ! વૈખરી વાણી એનાથી વધુ શું વ્યક્ત કરી શકે?
શ્રીમદ્ ભગવાન પ્રત્યે સાચી પ્રેમ-ભક્તિ આરાધવા આપણે સચેત રહીએ એ જ બુદ્ધિધનભાઈની પુણ્યસ્મૃતિની સાકતા છે. છેલ્લા વખતના તેના ચહેરાના પ્રભાવ પણ કાઈ જુદા તેજસ્વી દેખાતા હતા! છેલ્લા બે મહિના તેને ઊંઘ ન આવે ત્યારે ‘નવકાર’ સભળાવવા કહે અને તે પ્રમાણે લાંબે વખત સભળાવીએ ત્યારે શાન્તિથી સૂઈ જાય. પરમકૃપાળુ પ્રભુના કથન અનુસાર :
“શુભ ભાવ વડે મન શુદ્ધ કરી, નવકાર પત્રને સમરે; નહિ એહ સમાન સુમંત્ર કહેા, ભજીને ભગવ ́ત ભવ’ત લહેા ’ ભવના અંતનુ, દુઃખક્ષયનું, કારણ ભગવાનનું નામ જ. તેનું ભજન એ જ પ્રિય કર્તવ્ય હેાય છે.
તેણે તેનું કામ સાધી લીધું. વસ્ત્ર દેહથી જુદુ છે તેમ દેહને જુદા જાણી હસતે ચહેરે તેનાથી આત્મા પાતે છૂટા થયા, ઊર્ધ્વગામી અન્યા. ભગવદ્ ગતિ અનુસર્યા. પાછળ પત્ની અને પાંચ વર્ષના પુત્ર રાજેશ છે. તેઓમાં પણ તેનાં શુભ સ’સ્કાર દર્શન દે છે. બહેન