________________
૯૪ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
M
ના નથી. હું હવે થોડા વખતમાં તે તરફ આવીશ.” તેઓ આ પ્રમાણે લખતા ને બધાને આશ્વાસન આપતા કે હું આવીને બધું ઠીક કરી દઈશ. પણ પિતાને હવે ક્યાં........! a મને પણ આશા હતી કે આવશે અને પછી અમે બધાં વવાણિયા જઈશું. દિવાળી તથા પૂનમ વવાણિયામાં ઊજવીશું અને પછી બધાં તીર્થ સ્થાનનાં દર્શન કરી, સૌ કુટુંબીજનોને મળી પછી શાંતિથી શેષજીવન પ્રભુના સ્થાનમાં જ ગાળીશું. તેમની પોતાની પણ એમ જ ઇચ્છા હતી એ હું જાણતી હતી.
પણું........આપણે ધારીએ શું? અને થાય છે શું ? પ્રભુ કહે છે કે “ કર્મગતિ વિચિત્ર છે.” કરાંચીમાં તેમને હૃદયરોગનો હુમલો થયા. અતિ વેદના થઈ ત્યારે વાત કરી અને પથારી કરાવી. ગોપાળજીભાઈને થયું કે આમ કોઈ દિવસ પથારી કરાવે નહીં'. જરૂર કંઈ વધારે દર્દ થતું હશે ? આથી તેમણે ડૉકટરને તરત બોલાવ્યા, ઉપચારાદિ કરતાં દુખાવો ઓછો થયો અને ઠીક લાગ્યુ'. પાછી બીજે દિવસે ગૅસની તકલીફ થઈ આવી ત્યારે દેશમાં ગોપાળજીભાઈના ટેલિફાન આવ્યા તેમાં ત્યાંના સમાચાર જણાવી ચિંતાનું કારણ નથી એમ જણાવ્યું. પણ મને એમ થયું કે જવું તો ખરું જ. તે વખતે મનુભાઈ દિલ્હી હતા અને મેટાભાઈ બુદ્ધિધન રાજકોટ હતા. તેઓને ટેલિફોન કરતાં મેળાપ ન થા. પ્રફુલભાઈ ને હું તૈયાર થયાં. પરમીટ તરત જ મળી ગઈ. બીજે દિવસે અમે કરાંચી પહોંચ્યાં. મનુભાઈ દિલ્હીથી આવી ગયા, પણ તે વચ્ચે મુંબઈમાં રોકાઈ ગયા તેથી અમને ઍડ્રોમ પર મળ્યા નહી’. ઘેરથી નીકળ્યા ત્યારે શુકન સારાં નહાતાં થયાં એટલે મારુ મન અશાંત હતું, હૃદય વ્યથિત હતું.
કરાંચી ઍડ્રોમ પર ગોપાળજીભાઈ આવ્યા હતા. તેમને તબિયતના ખબર પૂછતાં કહ્યું કે સારુ છે; થોડી ગૅસની તકલીફ છે. અમે ઘેર ગયાં. તેઓ પોતે સૂતા હતા. હું જઈને તેમને પગે લાગી. તેઓ કહે કે “ આવ્યાં ? ” મેં કહ્યું, “હા.” “ બધાં કેમ છે ? મજામાં ને ?” મેં કહ્યું, “હા.” મને પૂછ્યું, “તમારે પગે કેમ છે?” મેં કહ્યું, “ સારું છે.” ત્યારે કહે, “ મારા કહ્યા પ્રમાણે બરાબર