________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૮૭
wwwwwwwwwww ! તેઓશ્રીએ પરમકૃપાળુ દેવની નાની પ્રતિમા તથા ચાંદીથી મઢેલાં પુસ્તકો આગળથી જ બનાવી રાખ્યાં હતાં. તે પ્રતિષ્ઠા વખતે ત્યાં પધરાવ્યાં હતાં. તેમની પરમકૃપાળુ પ્રત્યેની શ્રદ્ધાનું એ ફળ હતું. તેઓશ્રીનો મારા ઉપર પરમ ઉપકાર છે કારણ કે તેમના સુસંસકારોથી મારા સંસ્કારોમાં દિનપ્રતિદિન વિશેષ દૃઢતા થતી રહી હતી. આ તેમના પરમ ઉપકાર હું કેમ ભૂલું ?
તેમને કૅન્સરનું દર્દ થયું હતું. તેથી પીડા સખત હતી, છતાં તેમનામાં ઘણી સ્વસ્થતા હતી. તેમનું લક્ષ એક પરમકૃપાળુ દેવમાં જ રહેતું. તેથી જ તેમણે ખૂબ શાંતિથી દેહ છોડયો હતો. એમના સદ્દગુણો અમને સૌને વારંવાર યાદ આવે છે. એ સદ્દગુણો અમારા જીવનમાં ઊતરો એવી અંતરયામી પ્રભુ પાસે વારંવાર પ્રાર્થના કરું છું', તેથી જ અત્યારે હૃદયમાંથી ઉદગાર નીકળી જાય છે: “વંદન હા આવાં પૂજ્ય મેટાંબાને ! ”