________________
૮૪ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
wwwwwww
wwwwwww
ગુણેારૂપી સુંદર પુછ્યા તેમનામાં ખીલી ઊડવાં. આ ગુણા તેમના પરિચયમાં આવનારને આકષી લેતા. કોઈના ઘેાડા પણ ઉપકાર સભારી તેનાં લાગણીભર્યા' ગુણગાન કરતા. પરમકૃપાળુ સહજાત્મસ્વરૂપનું રટણ હૃદયમાં સતત રાખતા. એમણે સર્વ જીવા પ્રત્યે દાસત્વભાવ જ વેદ્યો છે. કયારે પણ માનમરતએ વગેરેની સ્પૃહા તેમને સ્પશી શકી નહેાતી. કિચિત્ માત્ર પણ ગ્રહવું તે જ સુખનેા નાશ થાય છે,’ એ પરમકૃપાળુ દેવનુ' અપૂર્વ મેધવચન તેમના ચિત્તમાં રમ્યા કરતું. એથી જ સાંસારિક સુખનાં સાધન તેમને ગમતાં નહીં. પરિગ્રહાદિ પ્રસ`ગેામાંથી નિવૃત્ત થવાની ઝંખના તેમને હમેશાં રહ્યા કરતી. એ અર્થે પ્રભુ પ્રત્યે નમ્રભાવે પ્રાર્થના કરતા. એ તેમને સમ્યક્ દૃષ્ટિના સવેગ નામને ગુણ હતા. પ્રભુના માની પ્રભાવના થતાં તેઓ હર્ષ ઘેલા બની જતા. તેમના ઘરે જ્યાં પરમકૃપાળુ દેવ બિરાજ્યા હતા, તે સ્થાને તેમણે ‘રાજમુદ્રા’ પધરાવી છે. તેમનુ ઘર એથી એક તીર્થરૂપ બન્યું છે. અનેક મુમુક્ષુએ દર્શનાર્થે ત્યાં પધારતાં અને પધારે છે તેવે વખતે પૂ. બાપુભાઈનું અંતર નાચી ઊઠંતુ, અંતરમાં આનંદ ઉલ્લેસી રહેતા અને હેાંશથી પ્રભુનાં સ`સ્મરણા, તેમના ચારિત્રની કથાવાર્તા, પ્રેમભક્તિથી મુક્તક કે સભળાવી યાત્રિકાને રાજરસે તરખેળ કરી દેતા. આવનાર યાત્રાળુ પ્રત્યે તેમનેા આદર, વિનય અને વાત્સલ્યભાવ અનેાખા જ વ્યક્ત થતા. તેમની વાત્સલ્યપૂર્ણ પ્રસન્નષ્ટિ યાત્રિકના અંતરને હારતી. તેમના સત્સંગના લાભ પ્રસંગે પ્રસંગે મને મળ્યા કરતા. તેમના તરફથી પરમાથ પ્રેરક, પ્રભુ પરમકૃપાળુ દેવ ઉપર શુદ્ધ સન્માર્ગ માં દૃઢતા કરાવનાર સુસ્થિત કરાવનારા પત્રા પણ અવારનવાર આવતા. શ્રી સત્પુરુષના સત્સંગનુ` માહાત્મ્ય તેમાં જણાવતા. ફરી ફરી તેને જ મહિમા વર્ણવી તેનુ જ પાષણ આપતા. તેમની શ્રદ્ધાભક્તિ અનેરી છે એવી મારા આત્મામાં છાપ પડતી. વિશેષ તેા હું અલ્પજ્ઞ તેમના ઉપકારને શું કથી શકુ? પરંતુ આવા વિષમ કાળમાં વિવિધ તાપથી ખળતા સંસારમાં મુમુક્ષુ જીવાને પ્રભુના પ્રેમનું પાન કરાવી તેએ તેમની તૃષા છિપાવતા. એ એમના ગુણાને આદર ભાવપૂર્વક હું એમને વંદુ છું.