________________
શ્રી રૂક્ષ્મણીબહેન
અતિથિગ્રહ’
શ્રી રાજનગર નિવાસી શેઠશ્રી સોમાભાઈ હીરાચંદ ‘ શ્રીમદ્ રાજચંદ્ર નિજાભ્યાસ મંડળ-શ્રી વડવા’ના પ્રાણસમાં પ. પૂ. ભાઈશ્રી પોપટલાલભાઈ મહાકમચંદભાઈના ઘણા નિકટના પરિચયમાં હતા. તેમ જ શ્રી વડવા તીર્થક્ષેત્રના ટ્રસ્ટી અને પાછળથી પેન પણ હતા. તેઓશ્રીને એક વખત યાત્રા નિમિત્તે શ્રી વવાણિયા તીથે થોડા સમુદાય સાથે પધારવાનું થયું હતું. ત્યારે પ્રસ્તુત આશ્રમસ્થાન તેમની દૃષ્ટિમાં આવ્યું. આ બંગલાની માલિકી બાબત પૂછપરછ કરતાં જણાયું કે તે મોરબી દરબારના કબજામાં છે.
બંગલો રાજભવનની નજીક હોવાથી તેને મંદિર અંગે ખરીદી લેવાનું પૂ. શેઠશ્રીને યોગ્ય લાગતાં તે નિશ્ચય કરીને તેઓ અમદાવાદ પધાર્યા. તેઓની ઉદારતા, વિચક્ષણતા અને કાયકુશળતા ખરેખર પ્રશસ્ય છે. અમદાવાદ જઈને તેમણે તરત જ પોતાના માણસને મોરબી મોકલ્યા અને સાથે જણાવ્યું કે,
કોઈ પણ કિંમતે ચોક્કસ કરીને જ આવો.” નામદાર ઠાકોરસાહેબને તે બંગલે વેચાણ લેવાની વાત કરતાં તેઓશ્રીએ તેની દસ હજારની કિંમત જણાવી. તારથી તે હકીકત જણાવતાં શેઠશ્રીએ વિના વિલબે ખરીદી લેવા જણાવ્યું. બંગલો શેઠશ્રીના સુપુત્ર શ્રી ચીનુભાઈના નામથી ખરીદાયો. - પૂ. પિતાશ્રીની આ બંગલો ખરીદવાની બાબતની શુભ ભાવના શ્રી ચીનુભાઇના જાણવામાં હતી. પૂ. શેઠશ્રીના અવસાન બાદ તેમના અને સુપુત્રો શ્રી જગાભાઈ તથા શ્રી ચીનુભાઈ એ ઉપરોક્ત સ્થાન (બંગલા) શ્રી રા. ભુ. ટ્રસ્ટને સુપરત કરી દીધું અને