SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન વિચાગ કરાવ્યો ! તારી નિદયતા અને કઠોરતા મારા પ્રત્યે વાપરવી હતી ! શું તું હસમુખો થઈ મારા સામું જુએ છે ? હે શાસનદેવી ! તમારું પરિબળ આ વખતે કાળના મુખ આગળ કયાં ગયુ ? તમારે શાસનની ઉન્નતિની સેવા બજાવવામાં અગ્રેસર તરીકે સાધનભૂત એવા પ્રભુ હતા, જેને તમે ત્રિકરણ ચાગે નમસ્કાર કરી સેવામાં હાજર રહેતા તે આ વખતે ક્યાં સુખમાં નિમગ્ન થઈ ગયા ? કે આ મહાકાળે શું કરવા માંડયું છે તેના વિચાર જ ન કર્યો ? “ હે પ્રભુ ! તમારા વિના કોની પાસે અમે ફરિયાદ કરીશુ ? તમે જ જ્યારે નિર્દયતા વાપરી ત્યાં હવે બીજો દયાળુ થાય જ કોણ ? હે પ્રભુ ! તમારી પરમકૃપાળુ, અનંત દયા, કરુણામય હૃદય, કોમળ વાણી, ચિત્તહરણ શક્તિ, વૈરાગ્યની તીવ્રતા, બાધબીજનું અપૂર્વ પર્ણ', પરમાથલીલા, અપાર શાંતિ, નિષ્કારણ કરુણા, નિઃસ્વાથી બેધ, સત્સંગની અપૂર્વતા આદિ ઉત્તમોત્તમ ગુણોનું હું શું સમરણ કરુ ? વિદ્વાન કવિઓ અને રાજેન્દ્રદેવ આપના ગુણસ્તવન કરવાને અસમર્થ છે, તો આ કલમમાં અ૯૫ પણ સમર્થતા કયાંથી આવે ? આપના પરમેસ્કૃષ્ટ ગુણોનું મરણ થવાથી મારા શુદ્ધ અંતઃકરણથી ત્રિકરણાગે હું આપના પવિત્ર ચરણારવિંદમાં અભિવંદના કરું છું. આપનું યોગબળ અને આપે પ્રકાશિત કરેલાં વચનો અને આપેલું બાધબીજ મારું રક્ષણ કરો એ જ સદૈવ ઇરછુ છું. આપે સદૈવને માટે વિયાગની આ સમરણમાળા આપી તે હવે હે દેવ ! હુ વિસ્મૃત નહીં કરું. - ૬ ખેદ, ખેદ અને ખેદ; એ વિના બીજુ કંઈ સૂઝતું નથી. રાત્રીદિવસ રડીરડીને કાઢું છું; કાંઈ સૂઝ પડતી નથી, આ વિરહ-વેદના તો રામબાણ વાગ્યાં હોય તે જ જાણે તેવી છે. પરમ પ્રેમે નમસ્કાર હો એ પરમ ભક્તને અને એ ભગવાનને.... - ૩. શાંતિઃ ....”
SR No.009258
Book TitleShrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Original Sutra AuthorN/A
AuthorNarottamdas Chunilal Kapadia
PublisherPrafullbhai Bhagwanlal Modi and Others
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy