________________
૭૪ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
અપૂર્વ લાભ મળ્યો. તેમણે શ્રીમદ્જીને ખંભાત પધારવા વિનંતી કરી અને તે અનુસાર સં'. ૧૯૪૬ના આસો વદ ૧૩ના શુભ દિને પાંચ દિવસ માટે પરમકૃપાળુ દેવ પ્રથમ ખંભાત પધાર્યા અને પૂજ્ય શ્રી અંબાલાલભાઈના ઘરે સ્થિતિ કરી. ત્યાર પછી તેઓ વચ્ચે વિશેષ પત્રવ્યવહાર શરૂ થયો અને ગાઢ પરિચય વધતો ગયો. એ ઉપકારક, માગદશક પત્રવ્યવહાર આપણે “ શ્રીમદ્ રાજચંદ્ર” મહાગ્રંથમાં જોઈ શકીએ છીએ. | સં'. ૧૯૫રના આસો વદ ૧ ને ગુરુવારના દિવસે નડિયાદ મુકામે સંધ્યા સમયે પરમકૃપાળુદેવ ફરીને પધાર્યા અને આત્મસિદ્ધિ ” ગ્રંથ લખવે શરૂ કર્યો. સતત ધારાવાહી રીતે ૧૪ર ગાથાઓ તેઓશ્રીએ દોઢ કલાકમાં પૂરેપૂરી લખી નાખી. એ સમય દરમ્યાન પૂ. શ્રી. અબાલાલભાઈ દીવડીની પેઠે ફાનસ ધરીને એકાગ્ર ચિત્તે ઊભા રહ્યા, અને આજ્ઞાવતાર પરમ પુરુષની લેખિનીમાંથી પ્રવાહ રૂપે પ્રગટતા આ ‘આત્મસિદ્ધિશાસ્ત્ર’ના જ્ઞાનપ્રવાહના એ ચિરંજીવ શાસ્ત્રાવતારના પુણ્ય પ્રાગટયને આત્મભાવે નિહાળી રહ્યા.
આ “આત્મસિદ્ધિ’ની ચાર નકલ કરવામાં આવી. પરમકૃપાળુ દેવે જ્યાં જ્યાં પત્રો લખ્યા હોય ત્યાંથી મેળવીને તેની નકલ તેઓશ્રી કરતા અને જેઓને મેકલવાનું શ્રીમદ્જી લખી જણાવે તેમને મોકલાવી આપતા.
તે સિવાય માગધી, સંસ્કૃત વગેરે જે કાંઈ ઉતારા કરવા શ્રીમદ્જી જણાવતા તે પ્રમાણે તેની નકલો અત્યંત કાળજીથી ઉત્સાહપૂર્વક ઉતારે કરી યોગ્ય મુમુક્ષુ ભાઈ અને સૂચના પ્રમાણે વાંચવા એકલતા. એક સમયે પરમકૃપાળુ દેવશ્રીએ દર્શાવ્યું હતું કે “ અમે ત્રણ ચાર કલાક બંધ કર્યો હોય તે બીજે કે ત્રીજે દિવસે લખી લાવવાનું કહીએ તો તે સંપૂર્ણ અને અમારા શબ્દોમાં લખી લાવતા.” આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે તેઓશ્રી કેટલા ભક્તિવાન, સત્સ'ગનિષ્ઠ, એકાગ્રચિત્ત અને આજ્ઞાધારક હતા. એમના મહાન ગુણે ખરેખર વંદનીય છે. આ રીતે પરમકૃપાળુ દેવ સાથેના લગભગ દસ વર્ષના શિષ્યભાવરૂપ પરિચયે અને સંસ્કારખળે તેઓશ્રીમાં આપણે એક “ આત્મલક્ષી ” –આજ્ઞાંકિત