________________
e -
આજ્ઞાંકિત “ રાજસેવક ?
પ. શ્રી, અંબાલાલભાઈ
પરમ જ્ઞાની પુરુષના સમાગમમાં આવવું, એમનું પ્રત્યક્ષ પરમાત્મસ્વરૂપે ઓળખાણ થવું અને તે પરમપુરુષની સેવામાં (નિશ્રામાં આશ્રયમાં) આજ્ઞાંકિતપણે જીવન સમર્પણ કરીને રહેવું એ ખરેખર એક અનુપમ લહાવો છે. અનંત ભવ નાશ કરાવીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવી મુક્ત સ્વરૂપને પ્રાપ્ત કરાવનાર અદભુત સ ગ છે. એ જ પરમયોગ, આપણે પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર દેવના અને પરમ ઉપકારી પ્રજ્ઞાવત પૂ. શ્રી. અંબાલાલભાઈના સંબંધમાં જોઈ શકીએ છીએ. એ આપણું પણ મહદ્દ ભાગ્ય છે કે પૂજ્ય શ્રી. અંબાલાલભાઈના પવિત્ર જીવનથી પરમ પુરુષની દાસાનુદાસભાવે આજ્ઞાંકિત ભક્તિ કેવી હોઈ શકે એનું આપણને યથાર્થ શિક્ષણ મળી શકે તેમ છે અને એ જ એમના ઉપકારનું જીવંત અને માર્ગદર્શક પાસું છે. - પૂ. શ્રી. અંબાલાલભાઈ, સ્થાનકવાસી સંઘના સંઘવી લાલચંદ વકીલના દત્તક પુત્ર હતા. તેઓ તેમના મિત્ર શ્રી છોટાલાલભાઈ તથા શ્રી ત્રિભોવનભાઈ સાથે અમદાવાદ લગ્ન પ્રસંગે ગયા હતા. ત્યાં તેમને પૂ. શ્રી જૂઠાભાઈ ઉજમશીભાઈનો સમાગમ થયો. તેમના સંગે શ્રીમદ રાજચંદ્રજી આત્મજ્ઞાની પુરુષ છે અને તેમના બોધથી કલ્યાણ થાય તેમ છે એમ સમજાયું. શ્રી જૂઠાભાઈ એ પરમકૃપાળુ દેવે લખેલા પત્રો તેમને બતાવ્યા અને આજ્ઞા મેળવીને સત્સમાગમ અર્થે જવાની સલાહ આપી. આ વાત લક્ષમાં રાખી તેમણે શ્રીમદ્જીની આજ્ઞા મેળવવા માટે પત્રવ્યવહાર શરૂ કર્યો. કેટલાક પત્રવ્યવહાર થયો ત્યાર પછી તેમને મુંબઈ આવવાની આજ્ઞા મળી. ત્યાં તેમને પ્રથમ દર્શન થયાં અને સત્સમાગમન