________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૭૧
બન્યું પણ એમ જ. સમર્પણની એ ક્ષણ પછી પૂ. ભાઈશ્રીએ પોતાના સમગ્ર કાળ સ્વાધ્યાય, સત્સંગ અને પરમકૃપાળુ દેવશ્રીના ચરિત્રચિંતન અને ભક્તિમાં વ્યતીત કર્યો છે. તેઓશ્રીની વિદાય પછી તેમણે પોતાનું શેષ રહેલું સમગ્ર જીવન ખંભાત પાસે નિવૃત્તિક્ષેત્રે તીર્થધામ વડવામાં તેઓશ્રીની અનન્ય ભક્તિમાં જ ગાળ્યું છે.
પોતાના આવા ઉત્કટ ભક્તિભાવભર્યા ઉચ્ચ ચારિત્ર્યબળ વડે પૂ. ભાઈશ્રી તેમના સમાગમમાં અનેક જિજ્ઞાસુઓને પરમકૃપાળુ દેવશ્રીની ભગવસ્વરૂપની પ્રતીતિ કરાવી શકયા છે. તેમણે અનેકને શ્રીમની વીતરાગાવસ્થાનો પરિચય કરાવીને તેમની વ્યવહારશુદ્ધિની. સાર્થકતા સમજાવી છે. તેમના ઉપદિષ્ટ સનમાર્ગ પ્રતિ વાળ્યા છે. તેમની વહેવારકુશળતા, વિશુદ્ધ ક્ષયોપશમ અને પરમકૃપાળુ દેવશ્રી પ્રત્યેની નિષ્કામ એકનિષ્ઠ ભક્તિ અને ત્યાગભાવના તેમના સમાગમમાં આવનાર અનેક મુમુક્ષુઓને પ્રેરણારૂપ બની છે.
ભગવત્ કૃપાના સ્પર્શ વડે આવું' જીવને સાચે જ ધન્ય બની