________________
શ્રીમદ રાજચંદ્ર જન્મભુવન : : ૬૯
ભાન થાય, કતવ્ય સમજાય, ભગવાનને ઓળખી શકાય અને સંસારની અનિત્યતાની પ્રતીતિ થાય, બા ! જાણે એમ થાય છે કે નિરંતર આપના સત્સંગમાં રહીએ.” - પૂ. બહેનશ્રીની ભક્તિ વિશેષ અદ્દભુત કામ તો એ કયું છે કે તેમાં આપણને પ્રભુનાં સ્મરણચિહ્નોનું–જેવાં કે પ્રભુએ ઉપયોગમાં લીધેલાં વસ્ત્રો તેમ જ પદાર્થો વગેરેનું-સારું સંગ્રહસ્થાન જોવા મળે છે. પૂરા પ્રેમથી પૂ. બહેનશ્રી પતે તે સંગ્રહસ્થાનનું યાત્રિકને દર્શન કરાવીને તે વિશેની સમજૂતી આપી તેનામાં ભક્તિરસ ઉત્પન્ન કરે છે.
પ્રભુના પ્રત્યક્ષ સમાગમમાં આવેલા મુમુક્ષુ ભાઈ એ તેઓશ્રી પ્રત્યે પત્રો લખી જે જે ભક્તિસ્ત્રોત વહેવરાવ્યો છે તેવા અપાર ભક્તિદશક પત્રોનો સંગ્રહ એકત્રિત કરીને વ્યવસ્થિત રીતે રાખવામાં આવ્યો છે. તેમાં મુમુક્ષુઓના મનમાં ઊઠેલા અનેક પ્રશ્નો અને નમ્રતાપૂર્વક કરેલા આત્મદોષદર્શનના અહેવાલ પણ જોવા મળે છે. સાથેસાથ મુમુક્ષુઓને વાંચવામાં ઉપયોગી થાય એ હેતુએ તે પત્રોના ઉતારા કરી રાખેલી નોટોના પણ મોટો સંગ્રહ છે. a જિજ્ઞાસુ - “ બા ! આ છબી કોની છે ? તેની ઓળખાણ પાડો.”
પૂ. બા- “ આ છબી અમદાવાદનિવાસી પોપટલાલભાઈ મહેકમચંદની છે. તેઓશ્રી વડવાતીર્થના પ્રાણ હતા. પૂ. દેવશ્રીએ તેમને “મોક્ષમાર્ગનું વડું'' એવી ઉપમા આપી હતી.
ચાલે, હવે આપણે એમના જ પરિચય પ્રાપ્ત કરીએ.