________________
મહત્વની સૂચના
|
આ બીજી આવૃત્તિમાં પ્રથમ આવૃત્તિના સમગ્ર કલેવરને અનેક પ્રકારના નૂતન સંસ્કાર-પરિષ્કાર પણ કરાયેલ હોવાથી પ્રથમ આવૃત્તિ કરતાં પણ આ બીજી આવૃત્તિ અધિકતર પુષ્ટ અને પ્રામાણિક બની છે, તે 1 આનંદની વાત છે. તેથી પ્રથમ આવૃત્તિ ધરાવનારા તમામ વાચકોએ આ બીજી આવૃત્તિ પ્રમાણે પ્રથમ આવૃત્તિમાં સંસ્કાર કરી લેવા જેથી ક્યાંય ગેરસમજને જરા પણ
અવકાશ ન રહે. WWW ત્રીજી આવૃત્તિ વખતે લેખકીયCom
આ પુસ્તકની બે આવૃત્તિઓની હજારો નકલો ચપોચપ ઊપડી જતાં ત્રીજી આવૃત્તિ - વધુ નકલોમાં -બહાર પાડવામાં આવી છે. અમારી સામે જબ્બર ઉહાપોહ શરૂ થયો છે. શાસ્ત્રના નામે માત્ર સંઘર્ષ કરવાની નીતિનું 1 અહીં દર્શન થાય છે. અમારી પાસે પુષ્કળ શાસ્ત્રપાઠી હાથવગા છે. ઉત્સુત્ર ભાષણનો અમારી ઉપરનો આરોપ એકદમ નિરાધાર છે. જેમનો ભૂતકાળ પણ અનેક સંઘર્ષ ઊભા કરવામાં જ ગયો હોય તેમને માટે આથી વધુ લખવું ઉચિત લાગતું નથી.