SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ધાર્મિક વહીવટ વિચાર પોલ્ટીફાર્મ વગેરે અને ઇન્ડસ્ટ્રીના યન્સવાદમાં ધિરાય છે. અત્રવાદ મોટી બેકારી અને પ્રદૂષણજનિત માંદગી માનવપ્રજામાં ઘસડી લાવીને લાખો માનવોને મોતના મુખમાં ધકેલી મૂકે છે. આ કેટલી મોટી હિંસા છે ? શું આમાં જીવદયાના કે અનુકંપાના રૂપિઆ વાપરવા દેવાય ખરા? . વળી, જ્યારે પશુ-પંખીઓના જીવન માટે આ રકમની તાત્કાલિક જરૂર ઊભી છે ત્યારે તેને બેંકમાં જકડી રાખવી એ તો ટ્રસ્ટીઓની નકરી ક્રૂરતા છે. સંપત્તિનો વહીવટ કરવાની મહદશામાંથી જાગેલું આ ક્રૂરતા ભર્યું કુકર્મ છે. જેટલી રકમ હોય તેટલી ઓછી પડે તેવી હાલતમાં આ રીતે બેંકમાં મૂડી સંઘરીને તેનું માત્ર વ્યાજ વાપરવું એ જીવો પ્રત્યે નકરી નિર્દયતા છે. આ વાંચન કરતાંની સાથે જ તેવી તમામ રકમ ટ્રસ્ટીઓએ ઉઠાવીને જીવદયાદિનાં યોગ્ય સ્થળોમાં પૂરેપૂરી વાપરી નાંખીને અજ્ઞાન દશાથી થએલી ભૂલ તત્કાળ સુધારી લેવી. મોટા કર્મબંધનમાંથી ઊગરી 7. VWW.Vuadradhan.com અહીં એટલો અપવાદ સમજવો કે પશુઓના ઘાસચારા વગેરે માટે જો કાયમી તિથિ યોજના કરવામાં આવી હોય તો તે મૂડી ન છૂટકે પણ બેંકમાં મૂકવી પડે. સવાલ : [૧૨] આજની પાંજરાપોળો માટે આપનો અભિપ્રાય જવાબ : ઘણી બધી પાંજરાપોળો જરૂર જેટલી આવકના અભાવે સિદાઈ રહી છે. પૂર્વના કાળમાં ધનવાનોના ઔદાર્યની પાંજરાપોળોને ખાસ જરૂર રહેતી નહિ કેમકે તેની પાસે મોટાં બીડ હતાં, ઘાસચારાદિ માટેની ખેતીની જમીન હતી, તેમાંથી ઘણું કામ પતી જતું. વેપારમાં પાંજરાપોળના લાગાઓ હતો. પાંજરાપોળ અંગેના નિષ્ણાતો એમ કહે છે કે, “જો આજે પણ પાંજરાપોળો આ રીતે પોતાની જમીન (૫૦ થી ૧૦૦ વીઘા) મેળવે અને તેમાં એવા પ્રકારનાં-જમીનને અનુકુળ ફળો-ચીકુ, નાળિયેર, કેળ વગેરેની વાડી કરે અથવા સાવ ઓછા ખર્ચે ઘણું કમાવી આપે તેવાં લાકડું આપતાં વૃક્ષો, તેલ વગેરે આપતાં શીમળો વગેરે વૃક્ષોનું વનસ્વરૂપે વાવેતર થાય તો પાંચમા વર્ષથી મોટી કમાણી કરી આપે.”
SR No.009225
Book TitleDharmik Vahivat Vichar
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1995
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy