________________
૫. ઈંદ્રિયવિષયરૂપ વિવશતાનાં વિવિધ દૃષ્ટાંતો
માનવ કરતો રહેશે તો મનુષ્યત્વ કે દેવત્વ પામી શકવાનો નથી. વળી જો એમ માનતો હોય કે આ સુખમાં કંઈ ખામી નથી પછી શા માટે નાહકની મનુષ્યત્વ અને દેવત્વ અને પરમત્વની નિરર્થક વાતોમાં પડવું ? તેને ખબર નથી કે શું થયું અને થશે. નીચેના પદથી જાગૃત થજે.
સુનું તો થયું રે પીંજર
દેશી-જૂનું તો થયું સુનું તો થયું રે પીંજર સુનું તો થયું, પછી તો ઉડ્યું ને પીંજર સુનું તો થયું. ચેતન પૂછે રે કાયા માન તું વાત મારી, જીવનભર રહ્યા ભેગા હવે થવું એ કલા રે. પછી તો ૧ કાયા બોલે વેણ મીઠાં સાંભળ ચેતન હંસા, અમે જડ તું ચેતન, અનાદિના જુદે જુદા રે. પછી તો ૧ જીવ સમજાવે કાયા, લાલન પાલન મેં તો કીધું. રેશમના ચીર હીરા મોતીથી મઢી દીધું રે. પછી તો ૧ કાયા બોલે ચેતન ભોળા તું ભીંત ભૂલ્યો, પુગલના ખેલ એમાં તું કેમ રાચ્યો ૨. પછી તો ૧ ચેતન કહે વાત છેલ્લી, સાંભળ એ કાયા ઘેલી, મારો સંગ છોડવાથી ભસમ થાવું પડશે ૨. પછી તો ૧ વાહ રે ચેતન વાહ તારી, મને તેની તમા નહીં રે. માટીના પૂતળાને, હરખ શોક કંઈ નહીં રે. પછી તો ૧ ગુરુ કહે મીઠી વાણી સાંભળ એવા ભવી પ્રાણી, હીરા જેવી જીંદગાની, આતમરામ ભજી લે રે. પછી તો ૧
• વિચારશક્તિવાળો મનુષ્ય વિષયવશ કેમ થાય છે ?
શાસ્ત્રોમાં કથન છે કે મોહકર્મની પ્રબળતા વડે જીવને ઈદ્રિયોના વિષયો ગ્રહણ કરવાની નિરંતર ઈચ્છા રહ્યા કરે છે. જીવ તે મેળવવા વ્યાકુળ થઈ દુઃખી થાય છે અને મૃત્યુ જેવા પ્રસંગોની દરકાર કર્યા વગર તે વિષયોનું સેવન કરે છે. અગાઉ જણાવ્યું છે કે સ્પર્શ સુખ માટે હાથી, હાથણીના સ્પર્શમાં આસક્ત થઈ દોડે છે અને ખાડામાં પડી જવાથી મૃત્યુને શરણ થાય છે.
માછલીને પકડવાના આંકડામાં માંસાદિ લગાવવામાં આવે છે. જિહુવાના સ્વાદ ખાતર માછલી તે માંસાદિ લેવા લલચાય છે અને જાળમાં ફસાઈને મરણને શરણ થાય છે.
ભ્રમર કમળપુષ્પના પરાગની સુગંધથી આકર્ષાઈને તેમાં બેઠો જ રહે છે. સાંજ પડતાં કમળ બિડાઈ જતાં તે મરણને શરણ થાય છે.
પતંગિયું દીપકના પ્રકાશથી આકર્ષાઈને અગ્નિમાં પડતું મૂકે છે અને ક્ષણવારમાં મરણને શરણ થાય છે.
હરણ કર્ણપ્રિય રાગનો રાગી થઈ, મોરલી આદિના સૂરમાં લોભાઈ દોડે છે અને શિકારીના હાથનો ભોગ બને છે.
આમ એક જ ઈદ્રિયની એક જ વિષયને ભોગવવાની તીવ્ર લાલસા જીવને મૃત્યુના ડરથી પણ ચૂકવી દે છે. તો પછી જેની પાંચે ઈદ્રિયોની લોલુપતા વધુ હોય તેની શી દશા ગણવી ?
“અલિ પતંગ મૃગ મીન ગજ,
એક એક રસ આંચ, તુલસી તિનકો કૌન ગત,
જામેં વ્યાપત પાંચ.” મનુષ્યને પાંચ ઈદ્રિયો સાથે અધિક શક્તિયુક્ત મન મળ્યું છે. આ ભૌતિક જગતમાં જેમ જેમ સાધનસામગ્રીની વિપુલતા થતી જાય છે તેમ તેમ માનવની વિષયદોડ વધતી જાય છે, અને જાણે પાંચ ઈદ્રિયોના વિષયને એક સાથે ભોગવી લેવા જીવ તરસે છે. જેમકે,
139.
૧૩૧