________________
આત્મભાવની સાહજિકતાનું દૃષ્ટાંત :
દુલેરાય અને મુનેરાય બે સહોદર બંધુઓ છે. બંને શાળાએ અભ્યાસ કરે છે. એકવાર બંને બંધુઓ શાળાએ જવા નીકળ્યા છે. મોટાભાઈ દુલેરાયે જોયું કે નાનો ભાઈ મુનરાયનું વદન આજે કંઈક ખિન્ન છે. આથી તેણે મને રાયને કારણ પૂછ્યું.
મુનેરાય : આજે મારી પાટી તૂટી ગઈ છે.
ઘરલેસન કર્યું નથી. ગુરુજી આજે પીટશે અને ચાર કલાક અંગૂઠા પકડાવશે. આ વાત સાંભળી દુલેરાયે તરત જ પોતાની પાટી સાફ કરીને મુનેરાયને આપી દીધી, અને વાત એમ બની કે જે દશા મુરાયની થવાની હતી તે દશા દુલેરાયની થઈ. શિક્ષા થવા છતાં તે પ્રસન્ન હતો. ભાઈના દુઃખનો ભાગી થયો હતો. પૂરી શિક્ષા જ પોતાને શિરે વહોરી લીધી હતી. સમય વણથંભ્યો જાય છે. હવે તો બંને મોટા થયા, સાથે ધંધો કરતા થયા. દુલેરાય તો નિષ્કામભાવે પરિશ્રમ કરવો, અને પોતાને ભાગે જે આવે તેમાં સંતોષ માનવો તેમાં જ તે સુખી હતો. મુને રાયને તો ઘણા અરમાન હતાં. બંનેએ સંપીને જુઆરું કર્યું. અલગ થયા.
સમય જતાં મુનેરાયને તો મોટી હવેલી થઈ. તેમાં પાંચ ફૂટ જગા વધારે મળે તો હવેલીનો દેખાવ સારો ઊઠે. દુલેરાયને તો કંઈ વિચાર કરવાનો જ ન હતો. ભલે. એક શબ્દથી બધુ કાર્ય નિપટી જતું. મુનરાયની સાધન સંપત્તિ વધતી તે લોકષ્ટિમાં હતું. દુલેરાયની અંતરંગ સંપત્તિ વધતી જતી હતી તે પ્રભુદૃષ્ટિ વિહોણા લોકો કયાંથી સમજે ! જગતના લોકોએ દુલેરાયને મૂર્નો ગણ્યો. પોતાનાં સ્ત્રીપુત્ર, પરિવારની નજરે પણ તે મૂખ્ત મનાયો. છતાં દુલેરાય અંત સુધી દુલેરાય જ રહ્યા. લોકોને પ્રશ્ન થશે કે દુલારાયે શું મેળવ્યું? • હિતશિક્ષા :
ચંદનના થડને કાપો, ડાળીઓને તોડો. પાંદડાને મસળો, અને લાકડાંને બાળો, તો તે શું આપે ? ચંદનનું સર્વ અંગ સુગંધ જ આપે છે. કેમ ? સુગંધ તેનો સ્વભાવ છે. તે સુગંધ આપવાનું છચ્છે કે ન ઈરછે પણ ને સ્વભાવ છે તે જ પ્રગટ થાય.
જે મનુષ્યમાં આત્મભાવ જન્મ્યો છે તે માનવને સંસારમાં સાનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય તો પણ તે ઉત્તમ સ્વભાવને ન ચૂકે, જેના સ્વભાવમાં સંતોષ, નિર્દોષતા, સર્વાત્મમાં સમદષ્ટિ, ઉદારતા, વિશાળતા, અને સમતાનું સ્થાપન થયું છે, તે આત્મામાં સહજપણે તે ગુણો પ્રગટતા રહે છે.
ચંદન એ વનસ્પતિરૂપે વૃક્ષ છે. તેની સ્વબોધમય દશા નથી છતાં સ્વભાવ છે તે પ્રગટ થાય છે, મનુષ્યનો આત્મા બોધસ્વરૂપ છે. એકવાર સંસ્કાર ઘડતર થયું અને ઉત્તરોત્તર તે વિકસતો ગયો કે સ્વભાવ અનેક ગુણો દ્વારા પ્રગટતો રહે છે. અને યથાર્થ બોધ દ્વારા પૂર્ણયોગ મળે. પૂર્ણગુણો અનંત પ્રકારે પ્રગટતા રહે છે. એકવાર ઉપયોગ-પરિણામની શુદ્ધતાની જાગૃતિમાં જીવે ઝૂકાવું પડે છે. પરિણામનું શુદ્ધ થવું તે આત્મભાવ છે આત્મભાવની આવી શુદ્ધિ તે ચમત્કૃતિ છે. - સદ્ગુરુગમે, સત્સંગ, એકાંતે કે સર્બોધ દ્વારા આત્મભાવ પ્રગટ થાય છે. એકવાર આત્મભાવનો આનંદ માણ્યો કે આત્મા વારંવાર તે પ્રત્યે આકર્ષાય છે. કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ ગયા પછી તે મળે ત્યારે જીવને નિરાંત મળે છે અને ખુશી ઊપજે છે તેમ આત્માર્થીને કોઈ પણ ગુણનાં દર્શન વડે અનાદિની ખોવાયેલી અમૂલ્ય વસ્તુ પ્રાપ્ત થાય છે તેનો આનંદ અવર્ણનીય છે.
“જ્ઞાનીને જે સુખ વર્તે છે તે નિજ સ્વભાવમાં સ્થિતિનું વર્તે
છે.”
“સમ્યગુ જ્ઞાનપૂર્વક કાષાયિક ભાવોની એટલે રાગ દ્વેષની અને યોગની ક્રિયાથી નિવૃત્તિ થવાથી જે સ્વરૂપરમણતા થાય તે “સમ્યગુ ચારિત્ર' છે. હિંસાદિ દોષોનો ત્યાગ અને અહિંસાદિ મહાવ્રતોનું આચરણ પણ સમગુ ચારિત્ર છે કારણ કે તે દ્વારા રાગદ્વેષની નિવૃત્તિ કરી શકાય છે, અને તેમની નિવૃત્તિથી દોષોનો ત્યાગ અને મહાવ્રતોનું પાલન સ્વતઃ સિદ્ધ થઈ જાય છે”
- (શ્રી ઉમાસ્વાતિ આચાર્ય રચિત શ્રી તત્ત્વાર્થ સૂત્રમાંથી.) અશુદ્ધત્માનું શુદ્ધાત્મરૂપે રૂપાંતર થઈ મૂળ સ્વરૂપે પ્રગટ થવામાં
30