________________
(૪૯)
રામનવમીનો બોધ ચૈત્ર સુદ ૯ મંગળવાર ૧૯૯૨.
મૂળમાર્ગ વીતરાગ માર્ગ છે. કર્મ છે, આત્મા છે; બન્નેને જ્ઞાની જાણે છે. આત્મા જ્ઞાનીએ યથાતથ્ય દીઠો છે એમ કહેવાશે. છોકરાં હૈયાં, પૈસો એ આદિ પુગલ-કર્મ છે. કર્મ તો મૂકાય છે; અનંત કાળથી મૂકાતાં આવ્યાં છે, કોઈને ય મૂકાયા વગર રહ્યા છે? પણ આત્માની ઓળખાણ થઈ નથી. આ બધો વહેવાર કર્મ-સંજોગ સંબંધને લઈને કરવો પડે છે. આત્માની ભાવના તો કોઈ જ્ઞાનીએ ભાવી; તે પરિચય કરવો છે; તે પરિચય જ્ઞાની જ જાણે છે.
ક્ષેત્રફરસના નાસિકની તે જવું થયું. કર્મ-પુદગલ જે દિવસ તે દિવસ તો મૂકવાનો છે. મૂકાશે, અનંતા ભવથી મૂકતો આવ્યો છે, છતાં આત્મા તો છે તેવો જ છે. તેને કંઈ થયું છે? મનુષ્યભવ દુર્લભ છે, તેમાં એક સત્સંગ અને સત્પરુષનો બોધ એ બે જોઈએ; તો કંઈ ફિકર નહિ.
ફિકરકા ફાકા ભર્યા તાકા નામ ફકીર. આત્મા શું છે ? આત્મા કેવો છે ? હવે કંઈ ફીકર છે નહિ !
દિવસ પણ થયા. અવસ્થા પણ થઈ. જન્મ-મરણ એ વિકલ્પ જ ન કરવો. જન્મ-મરણ તો વહેવાર છે. આ ઠેકાણે દેહ છૂટે તો સારું કે ફલાણે ઠેકાણે દેહ છૂટે તે સારું, તેવું કંઈ નહિ. જન્મ-મરણ હોય તોય શું? ના હોય તોય શું ? એ તો કર્મ છે. આત્માને શું ? આત્મા તો જુદો છે, નિશ્ચયથી આત્મા જેમ છે તેમ છે. તેમાં કંઈ ભેદ પડ્યો છે ? આવું છે તો પછી શું? કંઈ નહિ.
મળ્યા હોય તે સાંભરે ! ક્ષેત્રફરસના! આ જગ્યા મળી તો આ નાશિક તો નાશિક. હે પ્રભુ! મુંબઈ એ તો તોબા જુલમ કર્યો છે. કોણ જાણે ક્યાંથી એટલાં બધાં માણસો આવ્યાં હશે. (સ્ટેશન ઉપર) ? પણ બધાને સમજણ