________________
. (૪૭) તે ત્રણે અભેદ પરિણામથી રે,
જ્યારે વર્તે તે આત્મારૂપ; મૂળ. તેહ મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે નિજ સ્વરૂપ. મૂળ.૯ એવાં મૂળ જ્ઞાનાદી પામવા રે, અને જવા અનાદિ બંધ; મૂળ. ઉપદેશ સદ્દગુરુનો પામવા રે, ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ મૂળ.૧૦ એમ દેવ જિનંદે ભાખિયું રે, મોક્ષમારગનું શુદ્ધ સ્વરૂપ; મૂળ. ભવ્ય જનોના હિતને કારણે રે, સંક્ષેપે કહ્યું સ્વરૂપ. મૂળ.૧૧