________________
(૪૫)
હું કોણ છું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ? કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરિહરું ? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જે કર્યા, તો સર્વ આત્મિકજ્ઞાનનાં સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં. ૪ તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું કથન માનો તેહ જેણે અનુભવ્યું; રે ! આત્મ તારો ! આત્મ તારો ! શીધ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો. ૫
મૂળ.
મૂળ માર્ગ શ્રી સદ્ગુરુચરણાય નમઃ મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ ; નો'ય પૂજાદિની (કાશી) કામના રે, નોય વહાલું અંતર ભવદુઃખ કરી જે જે વચનની તુલના રે, જો જે શોધીને જિનસિદ્ધાંત; માત્ર કહેવું પરમારથ હેતુથી રે, કોઈ પામે મુમુક્ષુ વાત. જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરૂદ્ધ;
મૂળ.૧
મૂળ
મૂળ૨
મૂળ.