________________
, આરોપો લitiધnts
(૪૪)
, 9- 1 * * *---- Flicજક, કાન
શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો; નહિ એહ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત લો. કરશો ક્ષય કેવલ રાગ કથા, ધરશો શુભ તત્ત્વસ્વરૂપ યથા; નૃપચંદ્ર પ્રપંચ અનંત દાહો ભજીને ભગવંત ભવંત લહો.
* જ. 11* *;" . " "+૧ ,'
અમૂલ્ય તત્ત્વવિચાર
૧
હરિગીત છંદ બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો; તોયે અરે ! ભવચક્રનો આંટો નહિ એકે ટળ્યો: સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહો; ક્ષણ ક્ષણ ભયંકર ભાવ-મરણે કાં અહો રાચી રહો ? લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તો કહો ? શું કુટુંબ કે પરિવારથી વધવાપણું, એ નય ગ્રહો, વધવાપણું સંસારનું, નરદેહને હારી જવો, એનો વિચાર નહીં અહો હો! એક પળ તમને હવો ! નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિ માન જેથી જંજિરેથી નીકળે, પરવસ્તુમાં નહિં મુંઝવો, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં.
૨
૩