________________
(૩૧)
ગુરૂગમ
મુંબઈ, અષાઢ ૧૯૪૭ બિના નયન પાવે નહીં બિના નયનકી બાત; સેવે સદ્ગુરુકે ચરન, સો પાવે સાક્ષાત; ૧ બૂઝી ચહત જે પ્યાસકો, હું બૂઝની રીત; પાવે નહિ ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત. એહિ નહીં હૈ કલ્પના, એહી નહીં વિભંગ; કઈ નર પંચમકાળમેં, દેખી વસ્તુ અભંગ. ૩ નહિ દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ; સબર્સે ન્યારા અગમ હૈ, વો જ્ઞાનીકા દેશ ૪ જપ, તપ, ઔર વ્રતાદિ સબ,તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ. ૫ પાયાકી એ બાત હૈ, નિજ છંદન કો છોડ; પિછે લાગ સત્પષકે, તો સબ બંધન તોડ. ૬
શ્રીના બોધમાંથી નોંધ. - બિના નયનનું પદ શ્રદ્ધાવિનાવાળાને કહેવાય નહી, શ્રદ્ધા હોય) તેને જ કહેવું. આ જેવું તેવું નથી. ૧૪ પૂર્વનું અહીં છે. જેવી શ્રદ્ધા તેવા ભાવતે જ આત્મા.
અહીં શું મલે છે? ભાવ, તે તારા હાથમાં છે. મોમાં કોળિયો મૂકવા જેવું છે. ચાવવાની વાર છે.