________________
ચૂ.
એ શ્રીને કહેલું :
‘‘અમને આપવાનું હોય તે આપી દો.’’ ત્યારે શ્રી એ કહેલું :
(૧) ‘‘આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત.’’
(૩૦)
(૨) લો, અમે બધું આજે આપી દઈએ છીએ.
બધું આપી દીધું.
*
પ્રભુશ્રીએ લખાવેલું :
સત્પુરુષની સાચી શ્રદ્ધા આવી ક્યારે સમજાય ?
અંતર આત્મા થવાથી.
અંતર આત્મા શાથી થવાય ?
સત્પુરુષની દૃષ્ટિએ એની માને માન ગણી વર્તાય ત્યારે.
સત્પુરુષની દૃષ્ટિએ શાથી રહેવાય ?
સત્પુરુષના બોધે.
(આ.સિ.ગાથા. ૧૦૧)
પોતાને પોતાનો બોધ થવાથી પોતાને પોતામાં શમાઈ જવું – ભાવથી અને વિચારથી – બીજા વિકલ્પો મૂકીને – આ વિચાર સમાધિને આપે છે.
-
સ્વચ્છંદ, પ્રમાદ મૂકીને જાગૃત થા જાગૃત થા. સત્સંગ સત્પુરુષના બોધે વિચાર કર્તવ્ય છે. બોધ હોય તે પ્રમાણે ભાવ કરવો તે પુરુષાર્થ - પરિણમશે. એકલો પુરુષાર્થ નકામો છે, સત્ પુરુષાર્થ કરવો. નિમિત્ત જોઈશે.
બોધ પ્રમાણે ભાવ
ભાવ તે ભક્તિ છે.
-