________________
જડ
-
શ્રી જ્ઞાનીએ જડ અને ચૈતન્યની વ્યાખ્યા આમ કરી છે :‘“જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ’’
આત્મા
(૨૯)
જડ ચેતનની વ્યાખ્યા (ઉ. મૃ. પૃ. ૧૫૨)
સુરત :
(આમાં જડ ચૈતન્યની ઓળખાણ કરાવી છે.)
– એ પુદ્ગલ છે. તેના પરમાણું છે. તેના પર્યાય છે. તે જ્ઞાની જાણે છે. કર્મ છે તે જડ છે. તે સુખ દુ:ખ જાણે નહીં. દ્રવ્ય, ગુણ, પર્યાય જડના પણ છે.
:- આત્મા તેને જીવ કહેવાય છે. ચૈતન્ય શક્તિ કહેવાય છે; તે ચેતન કહેવાય છે. કંઈ કરતો નથી; તે જાણે છે, દેખે છે, તે જ્ઞાનસ્વરૂપ આત્મા છે.
દ્રવ્ય, ગુણ, પર્યાય આત્માના પણ છે.
તેને જાણ્યે ભેદજ્ઞાન થાય છે. જડને જડ જાણે, ચેતનને ચેતન જાણે. એ ભેદજ્ઞાન - (ઓળખાણ થઈ નથી; ઓળખાણ કરી લેવી જોઈએ). જડ ચેતનની ઓળખાણ થયે સમકિત કહ્યું છે. નવે તત્ત્વ જડ ચેતનમાં સમાય છે. આ વાત મોઢે કરવી. લક્ષમાં રાખશો તો જડ ચેતનની ઓળખાણ થશે.
શ્રેણિક રાજાને અનાથ મુનિની વાત મનાઈ ગઈ. શુકદેવજીને બધી ખબર હતી. જનક વિદેહીના કહેવાથી નિશ્ચય થયો.