________________
(૨૬) ભેદ જ્ઞાન
મુંબઈ. કા. વદ ૧૧ ૧૯૫૬.
જડને ચૈતન્ય બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બન્ને જેને સમજાય છે.
સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર,
અથવા તે શેય પણ પરદ્રવ્યમાંય છે. ૧ એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે.
કાયાની વિસારી માયા,સ્વરૂપે શમાયા એવા; - નિર્ગથનો પંથ ભવ અંતનો ઉપાય છે. ૨
દેહ જીવ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે.
જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ,
દેહનો સ્વભાવ જીવપદમાં જણાય છે. ૧ એવો જે અનાદિ એકરૂપનો મિથ્યાત્વભાવ; જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે.
ભાસે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન; બન્ને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. ૨