________________
' (૨૫) વર્તે બંધ પ્રસંગમાં, તે નિજપદ અજ્ઞાન; પણ જડતા નહીં આત્મને, એ સિદ્ધાંત પ્રમાણ ૫ ગ્રહે અરૂપી રૂપીને, એ અચરજની વાત; . જીવ બંધન જાણે નહીં, કેવો જિન સિદ્ધાંત ૬ પ્રથમ દેહ દષ્ટિ હતી, તેથી ભાસ્યો દેહ, હવે દષ્ટિ થઈ આત્મમાં, ગયો દેહથી નેહ. ૭. જડ ચેતન સંયોગ આ, ખાણ અનાદિ અનંત; કોઈ ન કર્તા તેહનો, ભાખે જિન ભગવંત. ૮ મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહિ, નહીં નાશ પણ તેમ; અનુભવથી તે સિદ્ધ છે, ભાખે જિનવર એમ. ૯ હોય તેહનો નાશ નહિ, નહીં તેહ નહિ હોય; એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જે. ૧૦
પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમ જ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ.
છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ; નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ.