________________
:
(૪૨૬)
મુજ દોષ દયાનિધિ, દેવ દીલે વિ ધરજો. ૧૨ હું પાપનો પશ્ચાતાપ હવે કરું છું. વળી સૂક્ષ્મ વિચારથી, સદા ઊંડો ઊતરું છું. ૧૩ તુમ તત્ત્વ ચમત્કૃતિ, નજરે તૂર્ત તરે છે; એ મુજ સ્વરૂપનો વિકાસ નાથ કરે છે. ૧૪ છો આપ નિરાગી, અનંત ને અવિકારી; વળી સ્વરૂપ સત્ ચિદાનંદ ગણું સુખકારી. ૧૫ છો સહજાનંદી, અનંતદર્શી જ્ઞાની; ત્રૈલોક્ય પ્રકાશક, નાથ, શું આપું નિશાની ? ૧૬ મુજ હિત અર્થે દઉં, સાક્ષી માત્ર તમારી; હું ક્ષમા ચાહું, મતિ સદા આપો સારી. ૧૭ તુમ પ્રણીત તત્ત્વમાં શંકાશીલ ન થાઉં; જે આપ બતાવો,માર્ગ ત્યાં જ હું જાઉં. ૧૮ મુજ આકાંક્ષા ને, વૃત્તિ એવી નિત્ય થાજો; લઈ શકું જેથી હું, મહદ્ મુક્તિનો લાવો. ૧૯ હે ! સર્વજ્ઞ પ્રભુ, શું વિશેષ કહું હું તમને; નથી લેશ અજાણ્યું, આપથી નિશ્ચય મુજને. ૨૦ હું કેવળ પશ્ચાતાપથી દીલ દહું છું; મુજ કર્મજન્ય પાપની ક્ષમા ચાહું છું.૨૧ ૐ શાંતિ શાંતિ, કરો કૃપાળુ શાંતિ; ગુરુ રાજચંદ્ર જિન વચન, હરો મમ ભ્રાંતિ.રર