________________
(૪૨૫)
શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત
ક્ષમાપના પાઠનું
પદ્મ
હે ! નાથ, ભૂલી હું ભવસાગરમાં ભટક્યો; નહિ અધમ કામ કરતાં, હું કદી પણ અટક્યો. ૧ તમ વચન અમૂલખ, લક્ષમાંહી નહિ લીધાં; નહિ તત્ત્વ વિચારથી, કહ્યાં તમારાં કીધાં. ૨ સેવ્યું નહિ ઉત્તમ, શીલ પ્રણીત તમારું; તજી યાદી આપની, મેં જ બગાડયું મારું. ૩ પ્રભુ, દયા, શાંતિ ને ક્ષમા આદિ મેં છોડી; વળી પવિત્રતાની, ઓળખાણ પણ તોડી. ૪ હું ભૂલ્યો, આથડયો, અને રખડયો ભારી; આ સંસારે વિભુ, વિટંબના થઈ મારી. ૫ હું પાપી મદોન્મત, મલિન કર્મના રજથી; વિણ તત્ત્વ મોક્ષ મેળવાય નહિ, પ્રભુ મુજથી. ૬ હે પરમાત્મા, હું પ્રપંચમાંહી પડયો છું; હું મૂઢ, નિરાશ્રિત, મહા ખુવાર બન્યો છું. ૭ બની અંધ અમિત અજ્ઞાનથી ભૂલ્યો ભક્તિ; નથી નિશ્ચય મુજમાં,નાથ વિવેકની શક્તિ. ૮ ઓ રાગરહિત પ્રભુ ! મુજને જાણી અનાથ; આ દીન દાસનો, ગ્રહો હેતથી હાથ. ૯ હું શરણ હવે તો ગ્રહણ કરું છું તમારું; તુમ ધર્મ સાથ તુમ, મુનિનું શરણ સ્વીકારું. ૧૦ હું માગું છું પ્રભુ, મુજ અપરાધની માફી; કરી દીઓ પાપથી મુક્ત, કહું પછી કાંહી. ૧૧ એ અભિલાષા અવિનાશી, પૂરણ કરો;
!
|
1