________________
(૩૦૮) વૈશાખની અમૃત વર્ષા
સંવત ૧૯૯૦ વૈશાખ બીજો, વદ પાંચમનો અપૂર્વ બોધ :
આ રત્ન ચિંતામણી જેવો મનુષ્યભવ મલ્યો છે માટે જાગ્રત થાવ, જાગ્રત થાવ. આવો અવસર ફરી નહીં મળે. જીવને ચેતવા જેવું છે. ખરો દાવ આવ્યો છે. માટે જે કરવાનું છે, તે કરી લો. આ જીવનું મહા ભૂંડુ કરનાર વિષય અને કષાય આ બે જ છે. માટે એનો ત્યાગ કરો. પુરુષાર્થ કરીને પણ
એનો ત્યાગ કરો. ખરો ત્યાગ કરવાનો ઉપાય: સત્સંગ અને સત્પષની આજ્ઞાને નિશ્ચયે આરાધવા યોગ્ય છે. બહેરા આગળ ગમે તેટલું ગાયન કરે, તો શું થાય ? માટે સમજે તો સાનમાં સમજે. જીવની યોગ્યતા નથી. મુખ્ય યોગ્યતાની ખામી છે. યોગ્યતા ક્યારે આવે ? સત્સંગ કરવાથી. તથા વાંછા, ઈચ્છા, તૃષ્ણા એ ભાવ સંસારમાં થાય છે, તેથી આ જીવનું ભૂંડું થાય છે. એ બધી ઈચ્છા નિવૃત્ત કરવા યોગ્ય છે.
સપુરુષ એટલે આત્મા. જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત થયું છે, તેને પુરુષ
ન - મારા પાર કરninોનારત
-
કહીયે.
સમકીત એટલે આત્મા. જિન એટલે આત્મા.
એ બધા ગુણો આત્મા સિવાય બીજા કોઈને પ્રાપ્ત થતા નથી. માટે આત્મસ્વરૂપ જેને પ્રાપ્ત થયું છે તેને તારતમ્યતા એ ગુણો મુજબ ઉપમા આપી છે. માટે આત્માને ઓળખવો છે. આત્માની વાતમાં કોઈ મતનો કે ગચ્છનો ભેદ આવતો નથી. બધાય સંપ્રદાયવાળાને માનવું પડે છે. માટે ખાસ કરીને આત્મસ્વરૂપ ઓળખવાની જરૂર છે. પુરુષ એટલે આત્મા. પોતાનો આત્મા કહો કે સત્પરુષનો આત્મા કહો અથવા અનંત જ્ઞાનીઓનો આત્મા કહો પણ
સ્વરૂપમાં ભેદ નથી. બધાનું એક જ સ્વરૂપ છે. માટે જેણે આત્મસ્વરૂપ યથાતથ્ય પ્રગટ થયું છે, તેને આત્મા અથવા સપુરુષ કહ્યો છે. આત્મસ્વરૂપમાં ભેદ હોતો નથી. ત્રણે કાળને વિષે એક જ હોય છે. માટે ભેદ છે નહીં.
ચંદનમલજી લખે છે કે મારા મનમાં શંકા હતી કે એને માનું કે એને