________________
" E
(૨૮૪)
પૂના બોધ તમે પર્યાય જુઓ છો. જ્ઞાની આત્મા જુએ છે.
(મા. શેઠના બંગલામાંથી બહાર નીકળતાં) જ્ઞાનીને આવી રીતે કર્મ ખપે છે. (મોટરમાં કારેલા કેવ જતાં)
હિી : - શ્રીજી માટે તથા આપના માટે સાંભળવામાં આવે છે તે દુનિયા ચકિત થઈ જાય તેવું છે. તે ખરું છે ?
શ્રી :- તે બધું સાચું છે પણ મનાવું જોઈએ.
હી :- જૈન ધર્મ સંબંધી શ્રીજી, (શ્રી) આપ જણાવો છો તે વાત યુરોપમાં જાણવામાં આવે તો જૈન ધર્મ તરફ પૂજ્ય બુદ્ધિ થાય. " શ્રી :- તેમ જ છે – કોઈ ડોસાએ ભંડારમાં અમુક ભીંતના પીઢના સંચમાં ધન સંતાડ્યું છે એવું કહે તેમ છે.
ગાં :- કવીશ્રી કહેતા કે – જૈન ધર્મ જે શ્રાવકોના હાથમાં ન ગયો હોત તો એનાં તત્ત્વો જોઈને જગત ચકિત થાત. વાણીયાઓ તો જૈન ધર્મતત્ત્વોને વગોવી રહ્યા છે.
બંડ ગારડનમાં છ લૅપ દેખાતા હતા પણ શ્રીએ કહ્યું નવ છે. તેમ જ હતું. તેમ ચર્મ ચક્ષુથી જેએલું ખોટું છે, જ્ઞાનીએ જોએલું સાચું છે એમ માનવું. (મૃ.. ૫૭૫-માર્ગ પામવા માટે દિવ્ય નેત્ર જોઈએ. ચર્મ નેત્રે કરીને જોતા છતાં તો સમસ્ત સંસાર ભૂલ્યા છે..અંતરાત્મદષ્ટિથી જ તે માર્ગ અવલોકન કરી શકાય એવો છે...)
પ્રશ્ન. હી :- લડાઈમાં કૂતરાઓ આગળ બોંબ પડે પણ હઠતા નહી, ગાં...આગળ બોંબ પડયો તે વખતે તેઓ શાંત રહેલા. આ સમાધિ કહેવાય ?
ઉત્તર. શ્રી :- તે પુણ્યનું કારણ છે; પણ સમકીત તે કંઈ જૂદું છે. કોઈની પ્રકૃતિ શાંત હોય, સહન કરવાની હોય પણ તે સમકીત નથી.
as