________________
(૨૮૩) મૂળ માર્ગ જેવો-પેરીસ પત્ર
. (.શુ.૧૦, ૧૯૮૧, ૩-૫-૨૫). વિ.પ.કુ.પ્રભુશ્રીએ જણાવ્યું છે કે :- આવા કાળમાં જેમ બને તેમ આરંભ પરિગ્રહ ઓછા કરવા. તેનાથી નિવૃત થવું તેમ કરવું યોગ્ય છે. બહુ વધારવામાં ઠીક નથી. તેના અભ્યત્વેજ સુખ છે. બહુ બહુ લાંબુ કરવા યોગ્ય નથી.
તા.ક. આ પત્ર સાથે પ.કૃ. પ્રભુશ્રીજીએ આપના પ્રત્યે ધર્માનુરાગના પ્રેમથી અને પરમાર્થદયાથી આપનું લક્ષ સ્વરૂપ પ્રત્યે જવા અર્થે આ સાથે અપૂર્વ પરમગુરુના વચનામૃતનો પત્ર મોકલાવ્યો છે. તેમાં પૂર્ણ ઉપયોગ મૂકી વારંવાર વિચારવા અર્થે મોકલેલ છે). - તે બોધ આપને તત્રે પરમ સમાગમરૂપ અને માયાના તરંગમાં તણાતા જીવને સ્થંભી રત્નદીપમાં એટલે સમ્યફદર્શન રત્ન, અને સમ્યકજ્ઞાન રત્ન, અને સમ્યકચારિત્રરૂપી સહજાન્મસ્વરૂપ શુદ્ધ ચૈતન્ય આત્મામાં પ્રેરણા કરી સ્થિર કરે તેવો બોધ છે છે. તેમાં જણાવેલો બોધ તે જ આપણું સર્વસ્વ છે એમ જાણવુંજી ભાઈ.
*પત્ર નં. ૮૩૨ પૃ. ૩૯ર