________________
સ
:
(vi) પરિતસંસારી કે સમીપ મુક્તિગામી થાય છે, જેના વચનને અંગીકાર કરવાથી સહજ શુદ્ધ આત્મસ્વરૂપ સહજ માત્રમાં પ્રગટે છે અને જેના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે એવા પ્રત્યક્ષ સત્પરુષની કૃપાપ્રસાદી જરાતનું કલ્યાણ કરો'. તે આશીર્વાદ સફળ થવા માટે અને જગતનું કલ્યાણ થવા માટે પુરુષની કૃપાપ્રસાદીની આપણામાં યોગ્યતા આવે તે માટે આપણો પુરુષાર્થ રહ્યા કરે અને આપણે અન્યોન્ય સહાયકરૂપ થઈ મંડળનો ધ્યેય સફળ કરીએ તે માટે નમ્ર પ્રાર્થના કરીએ છીએ.
“સાચા પુરુષની શ્રદ્ધા – પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા – તે જ સનાતન ધર્મ છે –” આજ્ઞા આરાધનમાં જ ધર્મ છે. ધર્મ છે તે આત્મા છે એટલે જેની આજ્ઞા આરાધવાની છે તે પુરુષની શ્રદ્ધા થઈ અને નાનામાં નાની આજ્ઞા આરાધે તો પણ તે ધર્મની આરાધના છે, આત્માની આરાધના છે. પ્રત્યક્ષ સત્પષની આજ્ઞા તે જ આત્મા છે. તે જ સુખનું સાધન છે કારણ કે પ્રત્યક્ષ સપુરુષની આજ્ઞા તે પ્રત્યક્ષ કરે છે તે જ તેનું બળ છે. પરોક્ષ હતું તે પ્રત્યક્ષ થાય છે. સાચા પુરુષની શ્રદ્ધા તેમાં બધું આવી જાય છે. એક શબ્દમાં અનંત આગમ છે તે દઢ થાય છે અને ખાત્રી થાય છે કે :
“એક શબ્દ સદગુરૂ તણો, ધારે હૃદય મોઝાર,
તે સત્પાત્ર શનૈઃ શનૈઃ પામે ભવજળ પાર” –
બધાનો સાર એ આવે છે કે સદ્ગુરૂ મળે ને એક શબ્દ મળે તો આત્મા મળ્યો, અનંત આગમનું જ્ઞાન મળ્યું. સુખનું ધામ મળ્યું. આવી શ્રદ્ધાવાળો એક હોય કે દસ લાખ હોય તે “સનાતન જૈન મંડળ છે.” એક હોય તો તે અનંત છે, અનંત હોય તો તે એક છે. આ અર્થમાં મંડળ શબ્દ વાપર્યો છે.
- પછી એને આર્યધર્મ કહો કે સનાતન ધર્મ કહો કે સનાતન જૈન ધર્મ કહો. છતાં તે સમજમાં રહે તે માટે શ્રીજીએ વ્યાખ્યા કરી છે તે તેમના જ શબ્દોમાં નીચે પ્રમાણે છે :