________________
(w)
જેવો અર્થ છે.”
તે લક્ષ બહાર ન રહે તે માટે અમે ભક્તિની શરૂઆતમાં ન.આ. પત્રાંક નં. ૭૨૫-૯૩૫-૯૩૬ -૬૨ બોલવાનું રાખેલું. આ પત્રો આ પુસ્તકના પૃષ્ઠ ૧૦૧-૧૦૨ ઉપર છપાયા છે. આથી “વિનય + ઉપાસના” નું મહાતમ રોજ સાંભળવામાં આવતું તેથી આ પુસ્તકનું નામ વિનયોપાસના” રાખેલું છે.
જેમ જેમ મુમુક્ષુઓની સંખ્યા વધતી ગઈ અને જેમ જેમ ભક્તિમાં રસ વધતો ગયો તેમ તેમ બીજા સાંસરિક કામોમાંથી વખત બચાવી મુમુક્ષુઓ પા કલાકને બદલે વધારે વખત ગાળવા લાગ્યા અને ભક્તિના ક્રમમાં વધારો થતો ગયો. તે ક્રમ બધા મુખપાઠ કરી લેતા કે પોતાની સ્વાધ્યાયની નોટમાં લખી રાખતા પણ બાળકો અને બહેનોને સગવડ માટે તે ક્રમ છપાવવાની બધાની ઈચ્છા થવાથી આ પુસ્તક છપાયું છે. આ પુસ્તકમાં જે જે કાવ્યો કે પત્રો છપાયા છે તેનું રહસ્ય સમજીને જ બધા આરાધના કરે છે તેથી તેના અર્થ જણાવવાની જરૂર રહેતી નથી, તેમ જ તેનો અર્થ થાય તેવું પણ નથી. છતાં પણ અમે જે રહસ્ય સમજી અને લક્ષમાં રાખી આરાધના કરીએ છીએ તેની સારરૂપ નોંધ અત્રે આપી છે. પણ અમારી સર્વેને વિનંતી છે કે વિસ્તારથી પરમાર્થ સમજવાની જિજ્ઞાસા રાખી, પોતાને પરમાર્થ સમજાય તે વિચારોની આપ લે કરી, પરમાર્થ વૃદ્ધિ થાય તેવું કરી, અન્યોન્યને સહાયકરૂપ થવું.
ધર્મનો મર્મ” લક્ષમાં રાખી, મતાર્થીપણું મૂકી, આત્માર્થી થઈ જે કોઈ ઉપાસના કરે છે તેને પરમાર્થે કેટલો લાભ અને ઉલ્લાસ રહે છે તેને માટે મંડળના મુમુક્ષુઓમાંથી દાખલા મળી રહેશે.
કૃપાનું મહાતમ શ્રીએ પુરુષની કૃપાનું, તેના વચનનું મહતમ જણાવ્યું છે અને આશીર્વાદરૂપે જણાવ્યું છે કે - “જેની કૃપાથી જીવ અનંત સંસાર ઓળંગી