________________
, (૨૨૨)
જાણવાવાળાને કયા ફળની પ્રાપ્તિ થશે ?
ગુરૂઉપદેશ અભ્યાસસે, નિજ અનુભવસે ભેદ,
નિજ પરકા જો અનુભવે, લહે સ્વસુખ બેખેદ. ૩૩ (૩૪) મોક્ષસુખ અનુભવના સંબંધમાં ગુરુ કોણ છે ? આચાર્ય નિશ્ચયનયથી ગુરુનું સ્વરૂપ કહે છે.
આપહિ નિજ હિત ચાહતા, આપહિ જ્ઞાતા હોય;
આપહિ નિજ હિત પ્રેરતા, નિજ ગુરુ આપહિ હોય. ૩૪ (૩૫) આ સાંભળીને શિષ્ય કહે છે :- પોતાનો આત્મા જ ગુરુ છે તો પછી બીજા ધર્માચાર્ય કે ગુરુની સેવા કરવાની આવશ્યકતા નથી.
તેનું સમાધાન આચાર્ય કરે છે કે આવું માનવાથી સિદ્ધાંતના વિરોધનો પ્રસંગ આવશે તેથી કાર્ય થવા માટે નિમિત્તની જરૂર છે તેવું તેઓ જણાવે છે.
મૂર્ખ ન જ્ઞાની હો શકે, જ્ઞાની મૂર્ખ ન હોય;
નિમિત્ત માત્ર પર જાન જિમ ગતી ધર્મ તે હોય. ૩૫ (૩૬) આત્માનો અભ્યાસ કેવી રીતે કરવો ? તેનો જવાબ :
ક્ષોભરહિત એકાંતમેં, તત્ત્વજ્ઞાન થિત લાય,
સાવધાન હો સંયમી, નિજસ્વરૂપકો ભાય. ૩૬ (૩૭) આત્માનો સ્વાનુભવ મારી અંદર છે તે કેવી રીતે ખબર પડે ? તથા તેની ઉન્નતિ થયા કરે છે તે કેવી રીતે ખબર પડે ?
જસ જસ આતમતત્ત્વમ્, અનુભવ આતા જાય;
તસ તસ વિષય સુલભ્ય ભી,તાકો નહીં સુહાય. ૩૭ (૩૮) આત્માનો અનુભવ વધતો જાય છે તેનું ચિહ્ન :
જસ જસ વિષય સુલભ્ય ભી,તાકો નહીં સુહાય;
તસ તસ આતમ તત્ત્વમેં,અનુભવ બઢતા જય. ૩૮ (૩૯) સ્વાનુભવ વધી જાય છે ત્યારનું ચિહ્ન :