________________
(૨૦૫)
પાપ નહીં કોઈ ઉત્સૂત્ર ભાષણ જિશ્યો.
ધર્મ નહીં કોઈ જગ સૂત્ર સરિખો;
સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેનું શુદ્ધ ચારિત્ર પરિખો.
એહ ઉપદેશનો સાર સંક્ષેપથી,
જે નરા ચિત્તમેં નિત્ય ધ્યાવે,
તે નરા દિવ્ય બહુ કાળ સુખ અનુભવી, નિયત આનંદઘન રાજ પાવે.
ધાર.૬
ધાર.૭
શ્રી વજ્રધરજિન સ્તવન
(શ્રી દેવચંદ્રજી કૃત)
વિહરમાન ભગવાન, સુણો મુજ વિનતિ જગતારક જગનાથ, અછો ત્રિભુવન પતિ, ભાસક લોકાલોક, તિણે જાણો છતિ, તો પણ વિતક વાત, કહું છું તુજ પ્રતિ.
હું સ્વરૂપ નિજ છોડી, રમ્યો પર પુદ્ગલે, ઝીલ્યો ઉલટ આણી, વિષય તૃષ્ણાજલે, આશ્રવ બંધ વિભાવ, કરું રુચિ આપણી, ભૂલ્યો મિથ્યાવાસ, દોષ દઉં પર ભણી.
ર