________________
(૨૦૬)
અવગુણ ઢાંકણ કાજ, કરું જિનમત ક્રિયા, ન તજું અવગુણ ચાલ, અનાદિની જે પ્રિયા; દષ્ટિરાગનો પોષ, તેહ સમકિત ગણું,
સ્યાદ્વાદની રીત, ન દેખું નિજપણું. ૩ મન તનું ચપલ સ્વભાવ, વચન એકાંતતા, વસ્તુ અનંત સ્વભાવ, ન ભાસે છતાં; જે લોકોત્તર દેવ, નમું લૌકિકથી દુર્લભ સિદ્ધ સ્વભાવ, પ્રભો તહકીકથી. મહાવિદેહ મઝાર કે, તારક જિનવરૂ, શ્રી વજંધર અરિહંત, અનંત ગુણાકર, તે નિર્ધામક શ્રેષ્ઠ, સહી મુજ તારશે, મહાવૈદ્ય ગુણયોગ, ભવ રોગ વારો. પ્રભુમુખ ભવ્ય સ્વભાવ, સુણું જે માહરો, તો પામે પ્રમોદ એહ ચેતન ખરો; થાયે શિવપદ આશ, રાશિ સુખવંદની, સહજ સ્વતંત્ર સ્વરૂપ, ખાણ આણંદની. વલગ્યા જે પ્રભુનામ, ધામ તે ગુણતણા, ધારો ચેતનરામ, એહ થિરવાસના; દેવચંદ્ર જિનચંદ્ર હૃદય સ્થિર થાપજો, જિન આણાયુત ભક્તિ, શક્તિ મુજ આપજો. - ૭ -