________________
(૧૬૭)
૨૭ સમજુ જન રાગ-દ્વેષ દૂર કરે -
જેવી રીતે રાગ દ્વેષ રૂપાંતર, પુદ્ગલનાં પરિણામો, તેવાં કરે નહિ ચારે અરૂપી, નભાદિ વિભાવિક કામો; કર્મ-બંધન રાગદ્વેષે નિરંતર, ભવે ભ્રમણ ગણ તેથી, દુ:ખ પરંપરા ભવથી, તો યત્ને, સુજ્ઞ રહે દૂર બેથી. હે ! ગુરુરાજ.
૨૮ વિકલ્પ તજવા ને મોક્ષ મેળવવા પ્રેરણા -
શાને કરે બહુ વૃથા વિકલ્પો, મન ધરી બાહ્ય પદાર્થે ? કર્મ અશુભ દુ:ખદાઈ તું બાંધે, રાગાદિ કરી પર અ; શુદ્ધ આત્મિકસુખ ભેદવિજ્ઞાને, પામીશ નિશ્ચે વિશાળ, તેથી આનંદ-જલ-સાગરમાં વસી, ધ્યાને નિર્વાણ નિહાળ. હે ! ગુરુરાજ.
૨૯ કર્મશત્રુ સામે ફરિયાદ
હે ! જિન, તુમ પદ પ્રસાદથી એમ, વિચારી જન સ્થિર ચિત્તે અધ્યાત્મ પક્ષે એ પગ મૂકે જ્યાં, આત્મવિશુદ્ધિ નિમિત્તે; કે કર્મ અરિ બીજી બાજુ કરે બળ, રૂપ ભયંકર ધારી, દોષો કરાવી ભ્રષ્ટ કરે આ મધ્યસ્થ સાક્ષી તમારી. હે ! ગુરુરાજ.
૩૦ નિર્વાણનો ક્રમ
સંસાર રાગાદિ દ્વૈત રૂપે છે, અદ્વૈત નિર્વાણ નિશ્ચે, સંક્ષેપથી બંધ-મોક્ષ હેતુ આ, કહ્યા ઉત્કૃષ્ટ સ્થિતિએ; પ્રથમ પક્ષ તજી ધીમે ધીમે, અન્ય આલંબન હાયે, તે બને બ્રહ્માદિ નામ વ્યવહારે, નિશ્ચય અનામિ થાયે. હૈ ! ગુરુરાજ. ૧. આવી દશામાં આપ જ મધ્યસ્થ સાક્ષી છો. ૨. જે દ્વૈતપદ છે-અદ્વૈત પદનું આલંબન કરે.