________________
(૧૬૬) ૨૪ કર્મબંધનથી બચવાના ઉપાયબાહ્ય પદાર્થોનો સંગ કરે છે, ઈન્દ્રિયો ને મન તેથીકર્મ બંધાય છે તેથી હું ભિન્ન હું, સદા સર્વથા નિશ્ચયથી; શુદ્ધ ચૈતન્ય તમે પ્રભુ ભિન્ન છો, નિર્લેપ છો કમ મળથી, તે કારણ થકી તુમ ચરણે હું, વસું છું નિશ્ચય બળથી.
હે! ગુરુરાજ. ૨૫ પરને પોતાનાં માનવાની ભૂલથી બંધનહે ! શુદ્ધ આત્મા, શું કામ તારે, લોક કે દ્રવ્ય આશ્રયનું, ઈન્દ્રિય, પ્રાણ કે વાણી કાયાનું, વિકલ્પ પુદ્ગલમયનું ? અરે ! એ પુદ્ગલ ભિન્ન તારાથી, ભૂલીને મારાં માને આશ્રય અતિશય કરી પરનો દઢ, વ્યર્થ બંધાય તું શાને ?
હે ગુરુરાજ. ૨૬ ભેદવિજ્ઞાનથી અનાદિની ભૂલ ભાગે છેધર્મ, અધર્મ, નભ, કાલ એ ચારે, અહિત કરે નહિ કાંઈ; ગતિ આદિમાં સહાય કરે સૌ, એક પુદ્ગલ વૈરી આહિ, કર્મ નોકર્મરૂપે રહી પાસે, બંધન હેતુ થાયે, ભેદ વિજ્ઞાનરૂપી તરવારે; હવે મુજ વૈરી હણાયે.
હે! ગુરુરાજ.
૧. એ ચૈતન્યથી કર્મોને ભીન્ન કરવામાં આપ જ કારણ છો તેથી શુદ્ધ આત્મા, નિશ્ચયથી મારી સ્થિતિ આપમાં જ છે. ૨. એમને પોતાનામાની તેમનો આશ્રય કરે છે તો શું તને દઢ બંધન નહી થાય ? ૩. સમીપમાં રહેનાર અને બંધ કરનાર તો કર્મ અને નોકર્મરૂપ એક પુગલજ મારો વૈરી છે ભેદ વિજ્ઞાનથી કટકા કરી ઉડાવી દીધા છે.