________________
(૧૬૮) ૩૧ કળિકાળમાં ભક્તિનું આલંબનકેવળજ્ઞાનીએ કહ્યું ચારિત્ર, મુક્તિ પમાડે જ તેવું, આ કળિકાળે મારા જેવાથી, દુષ્કર પળવું એવું, પૂર્વ પુણ્યના ! જ થી પામ્યો, ભક્તિ આ ભવમાં તારી, સંસાર-સાગર-તારક બનશે, નાવ એ શ્રદ્ધા અમારી.
હે ગુરુરાજ._
૩૨ જીવ શું નથી પામ્યો ?
નાથ નિગોદથી ઈન્દ્ર સુધીની, યોનિ અનેકમાં જાયો, વાર અનંત ભમ્યો ભવમાં પણ, ક્યાંય અપૂર્વ ન પાયો; સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પૂર્ણતા પદવી સાચી, મોક્ષદાયી એ રત્નત્રયી દઈ, કર કૃતાર્થ અયાચી.
, હ! ગુરુરાજ. ૩૩ બોધબીજ આગળ ત્રણલોકનું રાજ્ય તુચ્છ છેપ્રસન્ન મનથી શ્રીવીર દેવે, ઉત્તમ પદ અર્પવાને, બોધ-વચન-ઉત્તમ-બીજ વાવ્યું, જે મુજ ઉર - ઉદ્યાને; તેની આગળ શું રાજ્ય જગતનું ? તુચ્છ ત્રિલોક જણાય ? પ્રિય નથી ક્ષણભંગુર ભોગો, પ્રભુ શ્રીમત્ જિનરાય.
હે ! ગુરુરાજ.
૧. મારી સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્ર પદવીની ઈચ્છાને પૂર્ણ કરો. ૨. શ્રી ઉપકાર ૩. ઉપદેશ-વચનરૂપ બીજ