________________
---
-
જનક+ ovie
(૧૬૧)
nકત ૧૪. કas 4 5 ,www
તારું એક જ શરણું ગ્રહી રહું છું, હવે કહું શું બહુ હું ? તુજ વિણ કોઈની સાથે પ્રયોજન, ભવમાં ન હોશો એ યાચું.
હે! ગુરુરાજ. ૮ નવ પ્રકારનાં પાપની નિંદા - પાપ કરાવ્યું, ક, ભલું માન્યું, મન-વચને વળી કાયે, . વર્તમાન, ભૂત, ભાવિ કાળે મેં, એવા ભેદો નવ થાય; હે જિનરાજ ! હું પામર, પાપી, આત્મનિંદા કરું આજે, આપ સમક્ષ ઊભો ઊભો યાચું, સૌ પાપ અફળ થવા કાજે.
હ! ગુરુરાજ. ૯ આલોચનાનો હેતુહે જિનરાજ તું જાણે છે સઘળું, ત્રિકાળનું એક કાળે, અનંત ભેદે લોક અલોકના, પર્યાય સર્વ નિહાળે; તો તમે નાથ, શું જાણો નહિ કંઈ, આ ભવનાં મુજ પાપો ! તો પણ કહું તુમ આગળ તે શુદ્ધ થવા સપશ્ચાત્તાપો.
હે! ગુરુરાજ. ૧૦ નિઃશલ્યતા –
વ્યવહાર નથી મૂલ-ઉત્તર ગુણ-ધારી મુનિ-ધર્મમાં જે, દોષો થયેલા યાદ રહ્યા છે, તે દૂર કરવાને કાજે; પ્રભુ તમારી આગે આલોચું, માયા મિથ્યાદિ વૃથા હો, નિઃશલ્ય હૈયું કરે સમજુ જન, સર્વથા સંત પ્રથા જો.
હે! ગુરુરાજ.
૧. ગુણોને ધારણ કરનારો એવો હું મુની ૨. માયા, મિથ્યા, નિદાન એ ત્રણ શલ્યોથી.