________________
(૧૬૦) ૪ સેવાનું ફળ - ત્રિલોકનાથ ! તુમ સેવનાથી' નિશ્ચ, નિશ્ચળ સ્થિતિ અમારી, બળવાન સંસારશત્રુ હવે કે મ, જીતે-અમે બ્રહ્મચારી; શીતળ જળ-અમી વર્ષે ફુવારા-ગ્રીષ્મગૃહ રહે કોઈ, તો તહિં તાપ મધ્યાન્હ તણો શો, ખરા ઉનાળાની માંહિ ?
હ! ગુરુરાજ. ૫ આશ્રયનું ફળ - નિર્મળ બુદ્ધિથી ઊંડું વિચારે, સાર અસાર જો કોય, તો ત્રણ જ ગના સર્વ પદાર્થમાં, સારરૂપે પ્રભુ હોય; તેમ તમારા આશ્રયે અમને લાગ્યો સંસાર અકારો, શાંતિ મહા મળી આપને શરણે, અમને નાથ ઉદ્ધારો !
હે ગુરુરાજ. ૬ પરમાર્થ દર્શન એ જ સર્વસ્વ - કે વળ દર્શન-શાન સ્વરૂપી, વીર્ય અનંત સુખધામી, રૂપ અનુપમ "નિર્મળ પ્રભુતા, ગુણ અનંતના સ્વામી; જે જિનને યોગદષ્ટિ થી દેખે, સદાય સમ્યક યોગી, તો તેને બાકી રહ્યું શું જોવું ? સર્વ જાણી લીધું ભોગી.
હે ! ગુરુરાજ. ૭ અનન્ય શરણ – માનું તને એક જગનાથ સ્વામી, સૌ કર્મ-અરિ હણનારો, માત્ર તને નમું, હૃદયે ધરું નિત્ય, તુજ સેવા સ્તુતિ કરનારો;
૧. નિશ્ચયથી આપની સેવામાં દઢતા હોયતે, ૨. આપનાથી ભિન્ન સમસ્ત પદાર્થઅસારરૂપ જણાય છે., ૩. તેથી આપનાઆશ્રયથી જ મને સંતોષ થયો છે. ૪. સમસ્ત લોકાલોકને એક સાથે જાણે તેવું આપનું દર્શન, જ્ઞાન, ૫. આપની ઈશ્વરતા પણ અતિ નિર્મળ છે. ૬. સમ્યક્ટ્રોગ રૂપી નેત્રવડે આપને પ્રાપ્ત કરી લીધા.