________________
(vi) ચાલી શકાય જ નહીં. તેથી માર્ગમાં કાંટા પડ્યા હોય તે ખસેડતા જવું ને માર્ગે ચાલવાનું કરવું તેવી રીતે તેમને કરવું પડેલું અને તેમ કરવામાં તેમને જે શ્રમ વેઠવો પડ્યો છે તે પોતે જ જાણે છે. બીજાથી તે શ્રમની કલ્પના થાય તેવું નથી. વર્તમાનમાં કોઈ જ્ઞાની હોત તો તેમની આજ્ઞા પ્રમાણે દર્શાવેલા માર્ગે ચાલી જાત પણ તેવા કોઈ જ્ઞાની હતા નહીં તેથી કાંટા ખસેડતાં જવું ને માર્ગે ચાલતા જવું તેને માટે તેમને અથાગ શ્રમ પડેલો.'
સૌભાગ્યભાઈની પ્રભાવના માટે વિનંતી. શ્રી. સૌભાગ્યભાઈને શ્રીજીનું મહાતમ જણાયા પછી, તેમણે શ્રીજીને વીતરાગ માર્ગની પ્રભાવના કરવાની ફરી ફરી વિનંતી કરેલી કે જેથી દુ:ખી થતા જીવો તેનો લાભ લઈ શકે.
મુંબઈમાં ગોડીજીની નજીકની પેઢીમાં-મહાવીર જયંતીનો વરઘોડો જોઈ,
એક દિવસ શ્રીજી બેઠા હતા ત્યાં શ્રી મહાવીર જયંતીનો વરઘોડો જૈનો કાઢતા હતા. તે ધમાલ જોઈ શ્રીજીને એવી કરૂણા ફુરી કે તેમણે “બીજા મહાવીરનો” પત્ર (૬૮૭) લખી કાઢયો. તેઓશ્રીની કરૂણાનું શું ફળ આવશે તે પણ પત્રમાં જણાવ્યું, પણ તે પત્ર અંગત રાખ્યો, કારણ કે જ્ઞાનીઓ નગદ ધર્મ આપે છે વાચાજ્ઞાનીઓની માફક ઉધારીઓ ધર્મ આપતા નથી.
તેઓશ્રી મુંબઈથી રાળજ આવ્યા. ત્યાંથી શ્રીને મંત્ર મોકલાવ્યો. પછી આણંદ આવી “મૂળ માર્ગ” આપ્યો અને નડિયાદ જઈ પોતાને જે સ્વરૂપનો અનુભવ હતો તે “શ્રી આત્મસિદ્ધિ તેના અધિકારી માટે જ લખી. તેત્રણને જ શ્રી સૌભાગ્યભાઈ, શ્રી અંબાલાલભાઈ અને શ્રીને આપી; તેમને સ્વરૂપ પ્રાપ્તિ કરાવી. એટલે તેઓશ્રીની પાસે જે હતું તે તેના અધિકારીઓને આપ્યું. આજ
૧. પત્ર ૩૯૮ (પૃ.૩૪૬); પત્ર ૩૮૪ (પૃ.૩૩૬) દુષમકાળમાં બીજા શ્રી રામ; પત્ર ૪૩૩ (પૃ.૩૬૫) હુંડા અવસર્પિણી કાળ; પત્ર ૩૦૮ (પૃ. ૧૭); પત્ર ૭૧૩ (પૃ. પર૧) મૂળ માર્ગ બીજાના લક્ષમાં નથી મહાવીર જેવો વખત; (પૃ.૮૨૨) (૧૪) હાલની સ્થિતિ; પત્રર૮ર (પૃ.૩૦૧) વ્યાસયુગ-કળિયુગ; પત્ર૭૫૪ (પૃ.૫૭૫) શાસન સ્થિતિ.