________________
(vi)
પ્રભાવના હતી.
વસોમાં શ્રીને શ્રીજીની પ્રત્યક્ષ સન્દુરુષ તરીકેની ઓળખાણ થઈ.
પ્રત્યક્ષ સત્પરુષની તેમને ઓળખાણ થઈ પછી શ્રીજી પોતે પ્રત્યક્ષ સપુરુષ છે તે વાત ઉત્તરસંડામાં પ્રગટ કરી. શ્રી મહાવીર સ્વામી પછી શ્રીજી પોતે “પ્રત્યક્ષ સત્પરુષ” છે તે જણાવી દુનિયા ઉપર અપાર ઉપકાર કર્યો છે. આત્મસિદ્ધિનું મૂળ પ્રત્યક્ષ સદ્ગુરૂની પ્રાણી છે. તે પ્રાસી પછી જ આત્મવિચાર ઊગે છે. આત્મવિચારની શરૂઆત થાય છે ત્યારથી જે તેની ઈચ્છા તે પ્રાપ્ત કરવા તરફ જ હોય છે ને પ્રત્યક્ષ સત્પરુષના અવલંબને સ્વચ્છંદરોકાતો જાય છે અને છેવટે તેને તે આધારે મોક્ષ થાય છે. બીજા ઉપાયથી તો સ્વછંદ વધે જ જાય છે..
ઈડર-અમદાવાદ શ્રીજીએ બધામુનિઓને ઈડરમાં સમાગમ કરાવ્યો અને પોતાની અદ્ભુત શક્તિ વડે સિદ્ધરૂપે દર્શન કરાવ્યું અને સિદ્ધશીલાનું દર્શન કરાવ્યું કે જેથી બીજા અવલંબનની જરૂર ન રહે. તેમ છતાં શ્રીને શ્રીજી ઉપર દ્રષ્ટિરાગ હતો તે અમદાવાદમાં દૂર કરાવી પોતે વીતરાગરૂપે સ્થિર થઈ ગયા.
શ્રી ગૌતમસ્વામીને શ્રી મહાવીર પ્રત્યે દ્રષ્ટિરાગ હતો તેથી વીતરાગપદ શ્રી મહાવીર સ્વામી તેમને પ્રાપ્ત કરાવી શકેલા નહીં. પણ શ્રીજીની હયાતીમાં શ્રીનો શ્રીજી પ્રત્યે દ્રષ્ટિરાગ હતો તે નાશ કરાવેલો તેથી શ્રીને વીતરાગપદ પ્રાપ્ત કરાવ્યું તે આ કાળમાં એક અદ્દભુત બનાવ બન્યો. તેથી કહી શકાય કે શ્રી સૌભાગભાઈની માર્ગની પ્રભાવના કરવાની વિનંતી હતી તે આ જગતના ઉદ્ધાર માટે મોટામાં મોટો બનાવ હતો. - શ્રીજીએ શ્રીને ઈડરમાં શ્રી અંબાલાલભાઈની દશા જણાવતા કહેલું કે હાલ તેમની વૃત્તિ શિથિલ થઈ છે. તે સાંભળી શ્રીને વિકલ્પ થયેલો કે “શું તે એમને એમ જ રહેશે?” તેનું સમાધાન કરવા શ્રીજીએ કહેલું કે “મુનિ, ખેદ કરશો નહીં. તેનો પ્રમાદ અમારા બોધથી દૂર થશે અને પરમપદને પામશે.” શ્રી અંબાલાલભાઈને