________________
તે વર્તે છે એવા જે શ્રી રાયચંદ.... (વચનામૃતમાંથી)
શ્રીને પોતાને શ્રીજીની ઓળખાણ હતી તે જણાવી છે.
પ્રત્યક્ષ સન્દુરુષ, “જેની કૃપાથી જીવ અનંત સંસાર ઓળંગી પરિત સંસારી કે સમીપ મુક્તિગામી થાય છે, જેના વચનને અંગીકાર કરવાથી સહજ શુદ્ધ આત્મસ્વરૂપ સહજ માત્રમાં પ્રગટે છે અને જેના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં અનંત આગમ રહ્યા છે એવા પ્રત્યક્ષ સત્પષની કૃપા પ્રસાદી જગતનું કલ્યાણ કરો.” અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરૂદેવ અતિશયશાળી શ્રી ગુરૂદેવ, પરમ મહાત્મવંત પ્રત્યક્ષ સત્પરુષ, આશ્ચર્યકારી અવલંબનરૂપ, મોક્ષમાર્ગનો મર્મપ્રગટ કરનાર, મહાપુરુષ, પરમ મહાગ્યવંત.... (ઉદ્દેશમાંથી). આ ઉપરાંત અનંત નામો જે “પરમાત્મા’ માટે વપરાય છે તે.
શ્રી શબ્દ “શ્રી” શબ્દ વાપર્યો છે તે “પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રદેવની આજ્ઞાની ઉપાસનાથી જેણે નિજ શુદ્ધ આત્મસ્વરૂપે પ્રગટ અનુભવ્યું અને તે જ આજ્ઞા ઉપાસવાનો માર્ગ સર્વ મુમુક્ષુઓને ઉપદેશીને પરમકૃપાળુદેવે પ્રગટ કરેલો મૂળ સનાતન મોક્ષ માર્ગ જેમણે વિસ્તાર્યો તે પરમોપકારી શ્રી લઘુરાજ સ્વામી પ્રભુશ્રીજી” ને માટે છે. જેમને મુમુક્ષુઓ “પ્રભુશ્રી, સંત, બાપા, મુનિ, બ્રહ્મનિષ્ટગુરૂ, કલ્યાણમૂર્તિ, ચોથા આરાના મુનિ, સાક્ષાત પ્રત્યક્ષ સજીવન મૂર્તિ, સદ્ગુરૂ ભગવાન, શ્રી પરમકૃપાળુ મહર્ષિ દેવ, શ્રી લઘુરાજ સ્વામી...” ઈત્યાદિ નામોથી સ્તવે છે.
ઉત્તરસંડામાં કહેલું તેનો સાર શ્રીજીએ એટલે જ્ઞાનાવતારી પુરુષે આ કાળમાં જન્મ લીધો તે પ્રસંગને તેઓશ્રીએ જ“વનની મારી કોયલ”ની ઉપમા આપી છે. શ્રી મહાવીર સ્વામીએ કરેલો બોધ તેમને લક્ષમાં હતો તે સિદ્ધ કરવો હતો; પણ શ્રી મહાવીર સ્વામીના નામે માર્ગ કહેવામાં આવે છે તે એવી સ્થિતિમાં જોવામાં આવ્યો કે તે રસ્તે