________________
આ વચનામૃતથી શ્રીએ પોતાની દશા ક્શાવી છે. મહાવીર સ્વામીએ છેવટની વખતે આવી રીતે પુદ્ગલ કાઢયાં છે.” શ્રીની બીમારીમાં યૂ.એ મંત્ર સંભળાવવા માંડ્યો ત્યારે શ્રીએ કહ્યું - “આતમભાવના ભાવમાં જીવ લહે કેવળ જ્ઞાન રે – તે જ છે.”
આ પુસ્તકમાં તેમજ આગળ છપાવેલાં પુસ્તકોમાં “શ્રી” અને “શ્રી” શબ્દો અમે વાપર્યા છે. “શ્રીજી” શબ્દ અમે પરમાત્મા માટે વાપર્યો છે. તે શબ્દાતીત છે છતાં વ્યવહારમાં ઉપાસના માટે, લક્ષ સ્થિર થવા માટે તે શબ્દ વાપર્યો છે. ખાસ કરીને તે શબ્દ “અનંતજ્ઞાનાદિ ઐશ્વર્યવંત એવું જે પરમાત્મસ્વરૂપ શ્રી મહાવીર, શ્રી રામ આદિ અનંત મુક્તાત્માઓએ પ્રગટ અનુભવ્યું તે જ શુદ્ધ સહજાત્મસ્વરૂપનો પ્રત્યક્ષ સ્વાનુભવ કરી તે જ સનાતન વિતરાગ મોક્ષમાર્ગ આ કાળમાં જેમણે અનંત કરુણા કરી પ્રગટ કર્યો તે શ્રી સદ્ગુરૂ શ્રીમદ્રાજચંદ્ર પરમકૃપાળુદેવ”ને માટે વાપર્યો છે. જેનાકેટલાક પ્રચલિત નામો નીચે પ્રમાણે છે :
શ્રીજી શબ્દ સહજાન્મસ્વરૂપ શુદ્ધ ચૈતન્યસ્વામિ, તત્ત્વલોચનદાયક, પ્રગટ પુરુષોત્તમ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ, પરમકૃપાળુદેવ, ત્રણ લોકના નાથ, મહાવીર, રામ, શીવસ્વરૂપ, પ્રત્યક્ષ સત્પરુષ, સદ્ગુરૂદેવ, સજીવનમૂર્તિ, જ્ઞાનાવતારી, શ્રીમાનું પુરુષોત્તમ, સરસંત હરિ, અચિંત્યમૂર્તિ હરિ, પરમસતું, પરમજ્ઞાન, પરમપ્રેમ, સચિદાનંદસ્વરૂપ, આત્મા, સર્વાત્મા, પરમતત્ત્વ, પુરુષોત્તમ, સિદ્ધ, ઈશ્વર, નિરંજન, અલખ, પરબ્રહ્મ, પરમાત્મા, પરમેશ્વર, ભગવત, પુરાણપુરુષ, દેહધારી દિવ્ય મૂર્તિ-જ્ઞાનીરૂપ પરમાત્મા, યથાર્થ બોધસ્વરૂપ, શ્રી બોધસ્વરૂપ, અભિન્ન બોધમય, સ્વરૂપસ્થ, સમાધિરૂપ, સસ્વરૂપ, શ્રી પ્રારબ્ધદેહી, આત્મસ્થિત, આત્મસ્વરૂપ, સહજાન્મસ્વરૂપ, શ્રી મહાવીર, શ્રી રામ, અમૃતસાગર, કલ્પવૃક્ષ, પરમ શાંતિના ધામરૂપ..
..... અમોહ સ્વરૂપ એવા શ્રી રાજચંદ્ર, અવિષમપણે જ્યાં આત્મધ્યાન